________________
અઘ્યાય અઢારમો
કારણ કે પોતે તો તરે જ છે પણ બીજાને સુધ્ધાં તારે છે. માટે) મનુષ્યોમાં મારો પ્રિયકર્તા એના કરતાં બીજો વધુ છે જ નહિ. અને પૃથ્વીમાં બીજો કોઈ એના કરતાં મને વધુ પ્રિય થનાર પણ નથી.
કરણ
નોંઘ : તપ એટલે કામના ૫૨ અંકુશ મૂકવાનો ગુણ, તે ન હોય તો ગીતાજ્ઞાન નકામું છે; કારણ કે એ તો ગીતાજ્ઞાનનો સ્વાર્થ માટે જ ઉપયોગ કરશે. હિંસા કરીને ગીતાનો 'યસ્ય નાહËતો માવો' (૧૮-૧૭)નો અર્થ પોતાના પક્ષમાં લઈ જશે. અનાચાર સેવીને પણ 'અનાસકિત' શબ્દનું ઓઠું લેશે. એટલે ગીતાનું નિરૂપણ કામનાના અંકુશ માટે છે, અર્જુનનો મોહ નસાડવા માટે છે, હિંસા કે પાપ-કર્મમાં પ્રેરવા સારુ નહિ. આટલું પાઠક આ પરથી સ્પષ્ટ સમજી શકશે.
વળી ભક્તિ ન હોય તોપણ ઉપલો જ ભય છે. ભકિત એટલે અહીં શુદ્ધ હૃદય અને સમભાવી વિવેકબુદ્ધિ સાથેની શ્રદ્ધા લેવી. ગીતાનું તાત્ત્વિક જ્ઞાન જ્યાં નીતિ અને સદાચારનો પાયો ન હોય ત્યાં પણ નકામું છે.
અસેવકને અથવા ન સાંભળવાની ઈચ્છા રાખનારને તો એ નકામું જ છે તે સમજી શકાશે. એટલે કે જિજ્ઞાસા પણ જોઈએ. જિજ્ઞાસા વિચાર અને વિવેકના પાયા ઉપર જ નભે છે. જેમ ભૂખ્યાને સાદું ભોજન પણ પ્રિયકારી અને ઉપયોગી છે, પણ ગળાબૂડ ખાધું હોય તેને રુચિપ્રદ ભોજન પણ નકામું છે ઊલટું જો ખાય તો અપથ્યકારી જ તેને પક્ષે નીવડે, તેમ જેને સંસારની ભરપૂર લાલસા હોય, વૈરાગ્યનો છાંટો પણ ન હોય - તે ગીતાજ્ઞાન માટે અપાત્ર છે.
――――
અસૂયાના ત્રણ અર્થ છે ઃ ઈર્ષ્યા, નિંદા અને દ્વેષ, આત્માનો ઈર્ષ્યાળુ, આત્મનિંદક અને આત્મદ્વેષીનો સીધો અર્થ નાસ્તિક છે. એટલે જેને આસ્તિકતા નથી, તે પણ ગીતાજ્ઞાન માટે અપાત્ર ઠરે છે.
-
જેમ સિંહનું દૂધ કનકપાત્ર અથવા સિંહણનું સંતાન જ જીરવી શકે છે, તેમ ગીતાજ્ઞાન પણ તેવું પાત્ર જ જીરવી શકે છે. એટલે ગુરુદેવે તે પૂરતો નિષેધ કર્યો છે. બાકી જે યોગ્ય છે તેના આગળ તો ખાસ કહેવું. અને એવી સક્રિય ચર્ચાવાર્તા એ પણ એક પ્રકારની પરંભકિત છે. તેટલી હદે તે પરત્વે તેઓ વજન આપે છે. અને એ પણ કહે છે કે એવું કરનાર તો મને વધુમાં વધુ વહાલો છે. નવમા અઘ્યાયમાં પણ સતતં હીર્તયન્ત માં' (૯-૧૪) એની તારીફ કરી (૯-૨૨માં) એવા ભકતનું યોગક્ષેમ વહન કરવાનો પણ કોલ આપ્યો છે. જૈનસૂત્રોમાં પણ આચાર્ય