________________
૬૨૬
ગીતા દર્શન
પાત્ર થવા ઈચ્છે જ નહિ અથવા કુપાત્ર રહેવા જ તત્પર હોય, તેને માટે તો આ બધું નિરર્થક અથવા અનર્થકારી જ નીડવે છે. અર્જુન સુપાત્ર હતો એટલે જ શ્રીકૃષ્ણચંદ્ર ઉપલું જ્ઞાન કહ્યું.
હવે તેઓ પોતે આપેલા જ્ઞાનને પાત્ર કોણ નથી, એ બતાવી અપાત્ર આગળ ગીતાજ્ઞાન ન કહેવાની, અને ગીતાજ્ઞાનને પાત્ર કોણ છે ? એ બતાવી તેમની આગળ ગીતાજ્ઞાન અવશ્ય કહેવાની અને ત્યાં ન છૂપાવવાની અર્જુનને ઉદ્દેશીને સૂચના કરે છે. એ ઉકિતમાં નરદમ અનુભવ ભર્યો છે, સાંકડા પેટવાળી સાંપ્રદાયિકતા નથી; એ આપણે જોઈ શકીશું. તેઓ કહે છે :
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन । ન વાશુકૂવે વાગ્યે ન માં યોગ્ય રસૂતિ દoll. य इदं परमं गुह्यं मद्भक्तेकेष्वमिधास्यति । भक्तिं मयि परां कृत्वा मामेवैष्यस्यसंशयः ॥६८|| न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥६९|| ન અતપસ્વીને કે'વું, ન આ અભકતને કદી; ન અશુશ્રુષને તારે, ન મારા નિંદનારને. ૬૭ મારા ભકતો કને કેશે, આ પરં ગુહ્ય જ્ઞાન જે; કરી હુંમાં પર ભકિત, તે નિશે પામશે મને. ૬૮ ન મારો પ્રિયકારી કો, જનોમાં તે થકી વધુ;
ને ભૂમિમાં બીજો તેથી, વધુ પ્રિય થશે ય ના. ૯ (હે અર્જુન!) તારે આ (ગુહ્ય જ્ઞાન) અતપસ્વીને ન કહેવું. અભકતને કદી ન કહેવું. સાંભળવાની ઈચ્છા ન રાખનારને (અથવા સેવા હનને) ન કહેવું, અને મારી ઈષ્ય (અગર નિંદા) કરનારને ન કહેવું. (પણ આથી તું એમ ન માનતો કે તારે એકલાએ જ આ લાભ લેવો ! એલપેટા થવાથી આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ ગૂંગળાય છે, અને તે ગૂંગળામણ મોટા દૂષણરૂપ છે, માટે બીજાને પણ એનો લાભ આપવો. ખરે જ અર્જુન ! હું તને કહું છું કે, મારા ભકતોને જે આ પરંગુહ્ય જ્ઞાન કહી સંભળાવશે– તે મારે વિષે પરંભકિત કરતો થકો, અવશ્ય સંશયહીનપણે મને પામશે. (પરંતપ ! એવા જ્ઞાનનું પરબ બેસાડનાર તો મને સૌથી વહાલો છે,