SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય અઢારમો ૬૨૧ આપણે અગાઉ કહી ચૂકયા છીએ કે જો યુદ્ધ ન મળત, તો પોતાના પક્ષની નબળી સ્થિતિ અર્જુન, છેવટે તો ન સાંખી શકીને પ્રકૃતિના બળાત્કારે જોડાત, એટલે અત્યારે ઊપજેલા મોહનો ભયંકર પ્રત્યાઘાત થાત. આમાં અર્જુન પક્ષે આત્મપાત થાત અને લડાઈનું જે પરિણામ આવત તે આવત જ. જ્યારે સમતાપૂર્વક અર્જુન યુદ્ધમાં જોડાય, તો યુદ્ધનું પરિણામ જે આવવાનું તે આવવાનું; છતાં અર્જુન એ યુદ્ધજન્ય પરિણામ પોતા પક્ષે વિજયમાં આવે તોય અહંકાર કે ઉશૃંખલપણું ન પામે અને વિજયથી આવેલા ભોગવિલાસમાં ન રાચતાં વૈરાગ્યની ધારામાં તરબોળ બને. શ્રીકૃષ્ણગુરુ આટલું જાણતા હોઈને, એમણે એ ઘટનાને જ સ્પષ્ટ કરી. આ પરથી પાઠક સહેજે સમજશે કે અર્જુન માનતો હતો કે "યુદ્ધનો પાળનાર બનું' એમાં અહિંસા નહોતી, પણ અહંકાર હતો. અહંકારી હિંસાને કદી નિવારી ન શકે. એ જ રીતે ભાંડુ, સગાંવહાલાંને જોઈને થયેલી અર્જુનની દયા ખરી દયા નહોતી. પણ પોતાના શરીરાદિનો મોહ હતો. આમ જ શ્રીકૃષ્ણચંદ્ર માનતા હતા, અને તેઓ પોતાની માન્યતા અર્જુનને પોતાને આત્મભાન થઈને ગળે ઉતરાવવા મથતા હતા. મતલબ કે તેઓ તટસ્થપણું જ જાળવી રહ્યા હતા. અને એ જ દર્શન નીચેના ત્રણ શ્લોકમાં આપણે જોઈ શકીશું: ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया ॥६१।। तमेव शरणं गच्छ सर्वभावेन भारत તાત્વિનું ન્તિ સ્થાન પ્રાતિ શાશ્વતમ્ IIદરા इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया । विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु !૬ ૨IT સૌ ભૂતોના ઉર ક્ષેત્રે, વસે ઈશ્વર અર્જુન ! માયા થકી ચઢયાં યંત્ર, સૌ ભૂતોને ભયાવતો. ૬૧ તેને જ શરણે તું જા, સર્વભાવથી ભારત; તસાદ પર શાંતિ, શાશ્વત સ્થાન પામીશ. કz આમ મેં ગુહ્યથી ગુહ્ય, જ્ઞાન તને કહ્યું હવે; પૂરી રીતે વિચારીને, યથા ઈચ્છ તથા કરી
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy