SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય અઢારમો ૧૯ જોડાણ. સારાંશ કે સમર્પણ તો જોઈએ, પણ સાથે વિવેકબુદ્ધિ પણ જોઈએ; નહિ તો આવેલી અંધશ્રદ્ધાની સમર્પણા દગો દઈ દે એવો ભય રહે છે. આમ વિવેકબુદ્ધિ, સત્કર્મ અને ગુરુકૃપા અથવા પ્રભુદયા એ ત્રણેનો મેળ થાય તો ભવપાર ઉતરાય. પણ આ બધું કરવા માટે તો અહંકારનો લય કરવો જોઈએ. ગુરુદેવ કહે છે, "અહંકાર એ મહારાક્ષસ છે. તે ખરી વાત સાંભળવા જ નથી દેતો.” વાત ખરી જ છે. પ્રાણીમાત્રમાં અહંકારની વૃત્તિ છે. જો તે સાચા અર્થમાં હોય તો ઘણી સારી છે, પણ એ અહંકાર ખોટા અર્થમાં જ પ્રાયઃ દેહધારી માત્રમાં પ્રવર્તે છે. અને ત્યારે જ તે નમ્ર બનવાને બદલે અક્કડ બની જાય છે. કબીર ઠીક જ કહે છે કે "બાપ મૂના, પીછે ડૂવ જ દુનિયા ” અહંકાર ગયો, એટલે દુનિયામાં આત્મા ડૂબવાને બદલે આત્મામાં દુનિયા ડૂબી જાય છે. ગુરુદેવે અર્જુનને અગાઉ પણ કહ્યું હતું કે મનુષ્ય આ અહંકારને વશ થઈ ન કરવાનાં કામો કરે છે, અને એને લીધે જ પરેશાન અને પરવશ થઈ જાય છે. અહંકારી મનુષ્ય નમ્રતાને તો પામરતા ગણીને હસી કાઢે છે. અને અભિમાનને સ્વમાન માની સ્વચ્છંદે વિહરવામાં મોજ માને છે. જોકે આ મોજ આખરે તો ઠગારી જ નીવડે છે. અને તેવો મૂઢ, મંદમતિ પરિણામે તો પોક મૂકી રોવા માંડે છે. પણ અવસર ચૂકયા પછી અફસોસ શા ખપનો? એટલે પ્રસંગ પહેલાં પ્રથમથી જ ચેતવું જોઈએ. કારણ કે પ્રસંગ પહેલાં નહિ ચેતનાર અને પરિણામે દુઃખ પામનાર વળી એ દુઃખ વેઠીને પણ ખરો બોધ ધારી લેતો નથી એટલે વળી એની એ દશા ચાલુ રહે છે અને ક્રમે ક્રમે જડતામાં ઘેરાતો જઈ તદ્દન પ્રકૃતિથી પરતંત્ર બની જાય છે. ગુરુદેવ આવી દશામાં પડતાં અર્જુનને ચેતવે છે, અને જો નહિ ચેતે તો શું પરિણામ આવશે તે પણ સાથે સાથે કહી દે છે. એ કથનમાંથી પ્રત્યેક પાઠકને અદ્દભુત માર્ગદર્શન મળે તેમ છે. यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे । નિશ્ચષ વ્યવસાયક્તિ પ્રતિજ્ઞા જિયોત ||૧૨|| स्वभावजेन कौन्तेय निबद्धःस्वेन कर्मणा । कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्यवशोऽपि तत् ।।६।। ન લડે એમ માને, જો અહંકારને લીધે; તો એ હઠ વૃથા તારી, પ્રકૃતિ પ્રેરશે તને. ૫૯
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy