SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ ગીતા દર્શન मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि । अथ चेत्त्वमहङ्कारान्न प्रोष्यसि विनंक्ष्यसि ।।५८|| સૌ કર્મો ચિત્તથી હુંમાં, અર્ધી હુંમાં પરાયણ; બુદ્ધિયોગે રહી ચિત્ત, હુંમાં રાખ નિરંતર. ૫૭ હુંમાં ચિત્તે સહુ દુર્ગો જશે મારા પ્રસાદથી; ન સુણે જો અહંકારે, તો તું પામીશ નાશને. ૫૮ (પ્યારા ક્તીના પુત્ર કૌતેય ! હવે હું ઉપલી વાત કહ્યા પછી તેને સીધો જ માર્ગ બતાવી દઉ છું; કારણ કે તને ત્યાગ અને સંન્યાસનું તાત્ત્વિક રહસ્ય સમજાવવામાં આવ્યું છે માટે) ચિત્તથી સર્વકનો મારામાં સંન્યાસ કરી, મારામાં પરાયણ થઈ, બુદ્ધિયોગનો આશ્રય લઈને નિરંતર મારામાં ચિત્તને પરોવી દે. (આમ ) મારામાં ચિત્ત પરોવવાથી મારા પ્રસાદે કરીને તે બધા દુર્ગો-બધી મુશ્કેલીઓ તરી જઈશ. પણ જો અહંકારને વશ થઈને (મારી આ વાતને) નહિ સાંભળે તો તું વિનાશ પામીશ. નોંધ : કેવી ચોખ્ખીચટ વાત કરી દીધી. ચિત્તથી સૌ કર્મોનો સંન્યાસ કરવાનું કહ્યું, કાયાથી નહિ! ચિત્તથી સૌ કર્મોનો સંન્યાસ કરવો એનું જ નામ તે "સૌ આરંભોને કામસંકલ્પથી વર્જિત કરવા.” પછી કર્મ કરતાં છતાં પરિણામલક્ષી દષ્ટિ જ ન રહે. એટલે કર્તવ્યધારીને જ કર્મ થાય. અને તેથી સહેજે સાત્વિક પ્રવૃત્તિ જ થાય. "હું આમ કરું તો આમ થશે ને તેમ કરું તો તેમ થશે.” એમ જગતની કીર્તિ જાળવી રાખવાના લોભે જે સાધક સતપ્રવૃત્તિ કરે તો તે સાત્વિક પ્રવૃત્તિ પણ દૂષિત થવાનો ભય રહે અને સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય રાખે તો પ્રવૃત્તિ ગમે તે થાય છતાં તે સાત્ત્વિક જ બની રહે. આનો આછોપાતળો સર્વેને અનુભવ હશે જ. જો કે એવા સત્યનિષ્ઠને હાથે ગમે તેવી પ્રવૃત્તિ થાય, એટલે કંઈ નિષિદ્ધ પ્રવૃત્તિ થાય, એમ તો ન જ સમજવું; કારણ કે તેવી પ્રવૃત્તિ આસકિત વિના થવી લગભગ અસંભવિત જ હોય છે. "સ્વાર્થોનું સંધાન કરવું એ ચિત્તનો ધર્મ છે.” પણ સ્વાર્થ એટલે આમાથે જ સમજવો. ગુરુદેવને અગર આત્માને અનુલક્ષીને તેના યોગે રહીને ડ કરવાનું શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું, પણ સાથે સાથે બીજા અધ્યાયમાં જેમ બુદ્ધિયોગની ત: ૬ કરી હતી, તેમ અહીં પણ એની જરૂર બતાવી. બુદ્ધિયોગ એટલે સમાનામાવા બુદ્ધિનું
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy