SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય અઢારમો નોંધ : અગાઉ દૈવી સંપત્તિમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં જ્ઞાનના લક્ષણોમાં, ગુણાતીતનાં લક્ષણોમાં તથા ભકતનાં લક્ષણોમાં આ વાત પ્રકારાંતરે આવી ગઈ છે, છતાં તેનો સાર અહીં તાજો કર્યો છે. ૬૧૭ સૌથી પહેલાં બુદ્ધિ નિર્મળ થવી જોઈએ. નિર્મળ બુદ્ધિના સંસ્કારો સ્થિર થયા પછી બહિરાત્માનો જય સહેલો થાય છે. છતાં વિષયત્યાગ ન થાય તો ઈન્દ્રિયો મનને ખેંચી જવાનો સંભવ રહે છે. એટલે વિષયત્યાગની જરૂર છે, છતાં વિષયત્યાગીમાંય રાગદ્વેષ ન જોઈએ. વળી અહીં એકાંતસેવનની પણ જરૂ૨ બતાવી છે, કારણ કે સાધનાકાળમાં લોકસંગ બાધક છે. અલ્પ ભોજન પણ જરૂરી છે. મન, વાણી, કાયાનો બધા પ્રકારનો સંયમ જરૂરી છે. એકાગ્રતા પણ દૃઢ સાધવી જોઈએ. પણ આ અભ્યાસમાં વૈરાગ્યનું દિવેલ ન હોય તો બધું નકામું. એને સ્થિર રાખવા માટે પરિગ્રહ અને મમતાથી દૂર રહેવું જોઈએ. અહંકારાદિ વશ કરવાં જોઈએ, અને તેમ છેવટે મમતા, મૂર્છા વશ થયાં કે શાંતિ અને આત્મભાન સ્થિર થયાં જ આટલું થયું એટલે પ્રસન્નતા તો એની દાસી જ બની ગઈ સમજવી. જ્યાં ચિત્તપ્રસન્નતા આવી ત્યાં ત્રિલોકનું કોઈ સામ્રાજ્ય, અપ્સરાઓની આજીજી કે અણિમાદિ સિદ્ધિઓની પ્રાપ્તિ પણ એવા યોગીને તુચ્છ ભાસે ! શ્રીમદ્ કહે છે તેમ "રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.” પછી એને ભય શો ? હર્ષ ને શોક તો એને હોય જ શાનાં ? જીવો પ્રત્યે તે સમદષ્ટિ રહે. એટલે એની ચર્યામાં જીવન અને જગતના કલ્યાણનો સુમેળ હોય. આનું જ નામ તે પરંભક્તિ અથવા પ્રભુની ખરી ઓળખાણ. હવે તે એવા આત્મલક્ષ્ય સર્વ કર્મ કરે તોય મોક્ષ કેમ ન પામે ? પણ બુદ્ધિને કે હૃદયને સ્વચ્છ કર્યા વગર કે વિષયોને જીત્યા સિવાય માત્ર પ્રભુનું નામ રટણ કરે તો તેથી કશું જ વળે નહિ, એ વાત તો અગાઉ અનેક વા૨ કહેવાઈ જ ગઈ છે. અર્જુનમાં હૃદયયોગ્યતા તો હતી જ. શ્રદ્ધા પણ હતી, એટલે અને ડેટ સમપણાનું અવલંબન ખૂબ કામ લાગે અેમ હતું. એટલે એમના ગુરુદેવ હવે અર્જુનનું ફરી પોતાભણી લક્ષ્ય ખેંચતાં અને ઘસંહાર કરતાં કહે છે : i संत सर्वकर्माणि मयि संन्यस्य म इंद्रियोगमुपाषिय मच्चित्तः सततं भव ||9||
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy