SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ ગીતા દર્શન બલ-દર્પ-અહંકાર, કામ-ક્રોધ-પરિગ્રહ; ને મમતા તજી શાંત, બ્રહ્મભાવી બની શકે. પ૩ બ્રહ્મભાવી પ્રસન્નાત્મા કાંક્ષા કે શોક ના કરે; સૌ ભૂતોમાં સમો પામે, મારી ભકિત-પ૨ પછી. ૫૪ ભકિતથી મુજને જાણે, જેવો ને જે રૂપે હું છું; તત્ત્વથી જાણીને એમ, પ્રવેશે મુજમાં પછી. ૫૫ મારો આશ્રિતર્થ નિત્ય, સૌ કર્મો કરતો છતો; મારા પ્રસાદથી પામે, શાશ્વત અવ્યયી પદ. ૫૬ (પરંતપ ! જો કે મેં તને આ વાત અગાઉ પણ કહી છે, છતાં ફરીથી પ્રસંગ આવ્યો માટે કહું છું કે મેં અનાસકત બુદ્ધિ, સ્પૃહાત્યાગ અને જિતાત્મપણાવાળા સંન્યાસીની નિષ્કર્મેસિદ્ધિને માટે શરત માગી તે શરત કંઈ સહેલી નથી. ભારત ! બુદ્ધિને અનાસકિતના દઢ સંસ્કાર ન પડે ત્યાં લગી વાસનાનું ઊંડું મૂળ જતું નથી. એટલે એવી સ્થિતિ લાવવા માટે જે સાધનાની જરૂર છે તે આ છે:) વિશુદ્ધ બુદ્ધિથી જોડાયેલો યોગી; (સાત્ત્વિક) ધૃતિથી આત્માને દઢ રીતે કબજે રાખીને, શબ્દાદિ (પાંચ) વિષયોને છોડીને રાગ-દ્વેષને દૂર રાખીને, એકાંતસેવન કરીને, અલ્પભોજી (કારણ કે અધિક ખાણાં પીણાંથી શરીર બગડે છે, માટે લઘુભોજન કર્તા) બનીને, મન વાણી તથા કાયાને અંકુશમાં રાખીને, ધ્યાનયોગમાં રહેલો અને નિત્ય વૈરાગ્યને સેવનારો બનીને, અહંકાર-બલ(શારીરિક બલનું ગુમાન) દર્પ-કામ-ક્રોધ તથા પરિગ્રહ છાંડીને, નિર્મમત્વી બનીને તેમજ શાંત બનીને બ્રહ્મભાવી બની શકે છે. અને બ્રહ્મભાવી(થવાની ખાતરી એ છે કે તે) પ્રસન્ન ચિત્તવાળો બનીને કાંક્ષા કે શોક કરતો નથી. સૌ ભૂતો પર સમદષ્ટિ રહે છે અને તેથી તે મારી (અંતર્યામીની) પર નાકેતને પામે છે. (હે પરંત: ૧૨ રાભકિતથી જેવો અને જે રૂપે હું (આત્મા) છું. તેવો મને તત્ત્વથી રા' , ઓળખ્યા બાદ મારામાં આત્મામાં પ્રવેશ કરે છે. (જ. . . . . . પછી બાકી શું રહ્યું ?) મારો આકાય લેનાર તે હંમેશા સર્વક : એ ડ ડ પ્રસાદથી શાશ્વત અને અવિનાશી પદને પામે છે.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy