________________
૬૧૫
અધ્યાય અઢારમો
सिद्धि प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे । समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥५०॥ સિદ્ધિ પામ્યો થકો બ્રહ્મ, જ્ઞાનની જે પરસ્થિતિ; તે પામે કેમ કૌતેય; સંક્ષેપે હું થકી સુણ. ૫૦ હે (કુંતીના પુત્ર) કૌતેય ! સિદ્ધિ પામ્યા પછી જ્ઞાનની જે પરનિષ્ઠારૂપ બ્રહ્મ જે પ્રકારે પામે છે તે પ્રકારે (હું કહું છું માટે તું) હું થકી સાંભળ.
નોધ : અહીં નિષ્ઠાનો અર્થ ગતિ અથવા સ્થિતિ છે. જ્ઞાનનો છેડો બ્રહ્મ જઆત્મા જ છે. અને તે નૈષ્કર્મે સિદ્ધિ પછી જ પામી શકાય છે. આ વાત કલ્પનાથી તો સમજી શકાય તેમ છે જ. પરંતુ ગુરુદેવ જે કહે છે, તેમાં અનુભવનો નિતાર હોઈને તે તરફ જેમ અર્જુન બરાબર લક્ષ્ય આપી રહ્યો છે તેમ આપણે પણ मापीओ.
बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन् विषयांस्त्यकत्वा रागद्वेषौ व्युदस्य च ।। ५१।। विविक्तसेवी लध्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥५२।। अहङ्कारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥५३|| ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काक्षति । समः सर्वेषु भूतेषु मदभक्तिं लभते पराम् ॥५४।। भक्त्या माममिजानन्ति यावान् यश्चास्मितत्त्वतः । ततो मां तत्त्ववो ज्ञात्वा विशते तदनन्नरम् ॥५५॥! सर्व कर्माण्यपि सदा कुर्वाणो मद्यपाश्रयः । मत्प्रसादादवाप्नोति शाश्वतं पद्मव्ययम् ॥५६॥ વિશુદ્ધ બુદ્ધિથી યુકત, આત્માને ધૃતિથી જિતી; શબ્દાદિ વિષયો છાંડી, રાગ દ્વેષ ફગાવીને. પ૧ એકાંત સેવતો કાયા, મન વાણી વશે કરી; ધ્યાન યોગે રહ્યો નિત્ય, વૈરાગી અ૫ભોજની. પર