________________
૬૧ ૨
ગીતા દર્શન
श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् । स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ।।४७|| सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् । सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥४८।। સ્વધર્મ વિગુણો સારો, સુવર્યા-પરધર્મથી; સ્વભાવનિયમી કર્મ, કરતાં પા૫ ના થતું. ૪૭ સહજ કર્મ કૌતેય ! સદોષેય ન છોડવું;
ધૂમથી અગ્નિની પેઠે, દોષે સૌ કર્મ આવયાં. ૪૮ (બોલ કુરુવીર ! ક્ષત્રિયકર્મમાં મેં કહ્યું તેમ તારે યુદ્ધમાં પાછું ન હઠવું એ જ તને હવે સ્વધર્મ નથી દેખાતો શું ? ક્ષત્રિય ધર્મ સ્વભાવજન્ય ગુણથી જ નિર્માયું છે, માટે તે રીતે જોતાં સ્વભાવનિયત કર્મ પણ છે. હું તને આ જ અધ્યાયમાં કહી ગયો છું તે યાદ છે ના? કે નિયત કર્મનો સંન્યાસ થઈ શકે જ નહિ. એટલે નિયત કર્મનો સંન્યાસ કરવાનો જે તને આવેગ આવ્યો છે, તે તારે સારુ પરધર્મ તુલ્ય છે તેનું અનુષ્ઠાન ભલે સુંદર લાગતું હોય, અને આ નિયત કર્મનું પાલન ગુણહીણું લાગતું હોય, તોય તારે માટે તો તે નિયત કર્મ જ સ્વધર્મ છે. અને તને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે)
સુખેથી અચરાય તેવા પરધર્મ કરતાં સ્વધર્મ વિગુણો (પણ) સારો. (છતાં તને સ્વધર્મપાલનમાં પાપનો ભય લાગતો હોય તો હું કહું છું કે, સ્વભાવનિયત કર્મ કરતાં પાપ લાગતું નથી.
(એટલે કુંતીના પુત્ર) કૌતેય ! સહજ કર્મ (કદાચ) સદોષ (લાગતું હોય તો) પણ ન તજવું, (કારણ કે જગતમાં) આરંભમાત્ર ધુમાડાથી અગ્નિ અવરાય એની પેઠે દોષ વડે અવરાયેલા હોય છે.
નોંધ : અર્જુન માટે યુદ્ધત્યાગ-સુખેથી અચરાય તેવો છતાં–પરધર્મ હતો. જો કે દેખાવમાં તો તે વૈરાગ્યના સ્વાંગ નીચે સુંદર જ લાગતો હતો, પણ શ્રીકૃષ્ણગુરુદેવે અગાઉ ત્રીજા અધ્યાયના પાંત્રીસમા શ્લોકમાં બતાવ્યા મુજબ અર્જુનને માટે "યુદ્ધજોડાણમાં મૃત્યુ સારું, પરંતુ પરધર્મજીવતર નહિ સારું, બલકે ઊલટું ભયંકર” એમ બતાવ્યું હતું. આપણે એ તો અગાઉ જ કહી ગયા કે અર્જુન લાગણીવશ થઈને યુદ્ધત્યાગ કરત અને ફરીને એ લાગણી ઓસરતાં પાછો યુદ્ધમાં