________________
અધ્યાય અઢારમો
૬૦૫
(પરંતપ ! ) શમ, દમ, તપ, શૌચ, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ સ્વભાવજન્ય બ્રહ્મકર્મ છે.
નોંધ : અગાઉ ચોથા અધ્યાયમાં-“વતુર્વર્લ માર્કૃષ્ટ TUર્મ-વિમIST?” એમ કહ્યું હતું. ઉપલા એકતાલીસમા શ્લોકમાં “સ્વભાવપ્રમવૈઃ : મffor પ્રવિમવત્તાનિ” એમ કહ્યું, એટલે ચાર વર્ણની રચના ગુણકર્મને લીધે થઈ છે. અને કર્મોની વહેંચણી સ્વભાવજન્ય ગુણોથી થઈ છે, એમ સિદ્ધ થયું. સગુણો ખીલવવા માટે કર્મ છે અને એમ ખીલીને સિદ્ધ થાય, તેમ વળી નવા જન્મમાં સ્વભાવ પ્રભવ ગુણ પ્રમાણે કર્મો એ કર્મસંગી જીવને ફાળે આવે છે. આથી ગયા જન્મમાં શૂદ્રકર્મને લાયક એ હોય, તો આ ભવે શૂદ્ર કોમમાં ઊપજે કે બ્રાહ્મણ કોમમાં ઊપજે એ વિષે શ્રીકૃષ્ણગુરુનો આગ્રહ નથી પણ સ્વભાવપ્રભવ ગુણ બ્રાહ્મણને યોગ્ય હોય તો બ્રહ્મકર્મને યોગ્ય ગણી શકાય. અહીં જે સ્વભાવજન્ય ગુણો’માં સ્વભાવ શબ્દ આપ્યો છે તે આધ્યાત્મિક ઉચ્ચતા સૂચવે છે. અને શ્રીકૃષ્ણગુરુએ પોતે જ આઠમા અધ્યાયમાં ત્રીજા શ્લોકમાં એમ કહ્યું પણ છે. છતાં સ્વભાવનો અર્થ પ્રકૃતિ પણ થઈ શકે છે, એ ન ભૂલવું જોઈએ. વળી પાંચમા અધ્યાયમાં જે સ્વભાવ શબ્દ મૂકયો છે તે કુદરતી કાનૂન અથવા કર્મના નૈસર્ગિક કાયદાના અર્થમાં મૂકયો છે. આ રીતે જોતાં જૈનસૂત્રકારો વસ્તુનો સ્વભાવ” એવી ધર્મની વ્યાખ્યા આપે છે, તે ખરે જ બંધબેસતી છે.
શમ એ મનનો સંયમ, દમ એટલે ઈન્દ્રિયોનો સંયમ, તપ એટલે વાસનાનો વિજય, શૌચ એટલે પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન એટલે આધ્યાત્મિક જ્ઞાન, વિજ્ઞાન એટલે જગતસ્વભાવનું જ્ઞાન, નક્કર અનુભવ તથા આસ્તિકતા-આમ શ્રીકૃષ્ણગુરુએ આ શ્લોકમાં જે બ્રાહ્મણોનાં નવ કર્મો બતાવ્યાં છે તે દૈવી સંપત્તિ માંહેલા ગુણો અથવા તેરમા અધ્યયન માંહેલું જ્ઞાન જ છે. મતલબ કે સંસ્કારમૂર્તિ જ બ્રાહ્મણ હોઈ શકે અને તે જ સમાજને દોરી શકે. આથી જ આવા ગુણવાળા વર્ગને સમાજમાં સર્વોપરિ સ્થાન મળેલું છે. અને પછીના સ્થાનમાં ક્ષત્રિયોને ગણ્યા છે. ક્ષત્રિયો એટલે પ્રજાની સંસ્કૃતિ અને શરીરનિર્વાહનાં સાધનો એ બન્નેના પાલન માટે સ્વેચ્છાએ રહેલા ટોયા(રખેવાળ) આ ટોયાઓ પોતાના પ્રાણની બાજી લગાડીને પણ ઉપલાં બે અંગોનું રક્ષણ કરે માટે તે “નો-બ્રાહ્મUપ્રતિપાત્ર કહેવાય છે.
ગાય એ હિંદનું શરીરનિર્વાહનાં સાધનોમાં મુખ્ય ધન હતું, કારણ કે એ દૂધ આપતી અને એના બળદો ખેતીમાં મહા મદદગાર થતા. બ્રાહ્મણવર્ગ તો