SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દર્શન વારંવાર કહે છે. જુઓ (૩-૪૩) અહિંસક યુદ્ધ હોઈ શકે કે કેમ ? એ વિષે મ. ગાંધીજીની દો૨વણી નીચે મહાસભાએ લીધેલાં પગલાંમાં જે ઓછુંવધતું દર્શન થયું છે, તેથી જેમ અંગત જીવનમાં અહિંસા કામ કરે છે તેમ સમાજજીવન અને રાષ્ટ્રજીવનમાં પણ કામ કરે જ છે, એ નક્કર સત્ય પ્રયોગથી પણ સિદ્ધ થઈ ચૂકયું છે. Fox આ એકતાલીસમા શ્લોકમાં "સ્વભાવજન્ય ગુણો વડે કર્મો વિભક્ત થયાં છે,” તેનો અર્થ કુદરતી ખાસિયત પ્રમાણે ચારે વર્ષોનાં કર્મ વહેંચાય છે, એમ લઈએ તો ઘણીવાર શૂદ્ર માબાપમાં જન્મેલો પણ બ્રાહ્મણકર્મને યોગ્ય હોઈ શકે છે, એમ માનવામાં જરાય હરકત નથી. શૂદ્રો અને ક્ષત્રિયો વચ્ચે, વૈશ્યો અને ક્ષત્રિયો વચ્ચે એમ બેટીવ્યવહારનાં ઉદાહરણો પણ જૈન ગ્રંથો અને વૈદિક ગ્રંથોમાં મળે છે. તો પછી રોટી વ્યવહાર પણ હોય, એમ માનવામાં કશી જ હરકત નથી. વળી વાલ્મીકિ જેવા શૂદ્રજાતિના પુરુષ ભક્તિ અને તપ દ્વારા બ્રાહ્મણ કોટિના થયા. હરિકેશી મુનિ વિષે પણ જૈનસૂત્રો મોક્ષ ગતિનું ભાખે છે. બૌદ્ધ સૂત્રો પણ એવું જ ઉચ્ચારે છે. ત્યાં સમાજમાં આ ગુણકર્મવિભાગની સમાજરચના ટળીને જન્મગત વર્ણવિભાગ અને આભડછેટ કયાંથી અને કેવી રીતે પેઠાં તે સમજી શકાતું નથી. અનુમાનો તો ઘણાં જ છે, અને એ વિષે અન્યત્ર કહેવાયું છે જ. પરંતુ અહીં આટલું કહેવાની મતલબ એ છે કે ગીતાને વર્ણવ્યવસ્થા, સ્વાભાવિક ખાસિયતોની દષ્ટિએ માન્ય છે, પણ જન્મગત અને રૂઢિથી પડી ગયેલી આજની દશા માન્ય નથી. ખરી રીતે તો સાચી વર્ણવ્યવસ્થા તૂટવાનું કારણ પણ ઠોકી બેસાડેલી જન્મગત કર્મવહેંચણી જ દેખાઈ રહે છે. સ્વભાવજન્ય ગુણો વડે' એ પ્રયોગ જ ખાત્રી આપે છે કે અનેક કાળે દૃઢ થયેલા સંસ્કારોને લીધે, જેને જે કામ ફાવે-અને તે કામ પણ એવું જ હોય કે જે કર્મથી જગતનું અને આત્માનું બન્નેનું કલ્યાણ જ થાય- તે જ કર્મો વર્ણવ્યવસ્થામાં પસંદ કરાયાં છે. અને તે જ હવે શ્રીકૃષ્ણજી કહે છે : शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च । ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वराजग શમ, દમ, ક્ષમા, શૌચ, સરળતાં } ૪૨ આસ્તિકય, જ્ઞાન, વિજ્ઞાન, સ્વભાવે છે, ૪૨
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy