SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ગીતા દર્શન આત્મજ્ઞાની વિના કોણ જાણી શકે? જેને સંપૂર્ણ આત્મજ્ઞાન થયું તેને તો ભૂત, દૈવ, યજ્ઞની ઉપાસનાઓ વગેરે બાળરમકડાં જ લાગે છે. છતાં તેઓ પણ પ્રયત્ન તો કરે જ છે. અને તે જરામરણના મોક્ષ માટે. આવા પુરુષો પોતાને જાણે છે, અને જીવમાત્રના ચૈતન્યને પણ જાણે જ છે. તેમ સંસારના યથાર્થ સમગ્ર સ્વરૂપને ખોબામાં પાણી દેખાય તેમ નિજ આત્માદ્વારા અનુભવી શકે છે. આવી સ્થિતિ માટે એક આત્માને જ અવલંબીને મથવું જોઈએ. કામનાને અધીન કોઈપણ સંયોગોમાં કદી ન થવું જોઈએ. તેથી અંત:કરણની શુદ્ધિ થાય છે, અજ્ઞાનનો પડદો ખસે છે, આચારમાં સત્ય શીધ્ર અવતરે છે, સુખ-દુઃખના પ્રસંગોમાં મૂંઝવણને બદલે સમભાવ રહે છે, અને છેવટ એવી સ્થિતિ થાય છે કે જેથી સહજ પ્રયત્ન મોક્ષ મળે છે. સારાંશ હૃદયનું પરિવર્તન કરનારી ભકિત એ અજોડ ઉપાય છે. જીવનનું પરિવર્તન કરનારું ચારિત્ર એથી જ જન્મે છે કે જેનું પરિણામ મોક્ષ છે.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy