SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દર્શન નથી તે સત્ત્વ પૃથ્વી કે, આકાશે કે ન દેવમાં; જે હોય પ્રકૃતિજન્ય, આ ત્રણે ગુણથી પૃથક. ૪૦ (ભારત !) આ પૃથ્વીમાં કિંવા આકાશમાં અથવા દેવોમાં એવું કોઈ સત્ત્વ, નથી કે જે આ પ્રકૃતિજન્ય ત્રણ ગુણો (સત્ત્વ, રજસ અને તમસ)થી મુક્ત હોય ! નોંધ : જગતના સત્ત્વ એટલે પ્રાણીમાત્રને ગુણની સોબત લાગેલી જ છે, એટલે ધૂળ રીતે ગુણથી છૂટી શકાય તેમ નથી-માત્ર ભાવથી જ છૂટવું રહ્યું ! તો જ ત્રિગુણાતીત થવાય, એવો ધ્વનિ પણ આ પરથી નીકળે છે. અને જગતમાં રહેલી વ્યકિત જેમ ગુણથી જોડાયેલી છે, તેમ સ્વર્ગીયદેવ અને આકાશી પ્રાણીઓ પણ ગુણથી જોડાયેલાં છે. આ પરથી એમ પણ ફલિત થાય છે કે આપણને સ્વર્ગમાં જવું પ્યારું લાગે છે, પરંતુ ગુણોથી (ભાવ) નિરાળા રહેવાની કળા અહીં (મનુષ્ય જન્મમાં) નહિ સાધી લીધી હોય, તો ત્યાં પણ જે સુખ મળશે તે રાજસી જ હોવાનું! 'દો' શબ્દનું ફિવિ' રૂપ છે. દો' શબ્દના આકાશ અને સ્વર્ગ બને અર્થ થાય છે. દેવોની આગળ પણ શ્રીકૃષ્ણગુરુએ વા’ લગાડયું છે એટલે ‘દ્યો” નો અર્થ અહીં આકાશ લેવો ઠીક લાગે છે. લોક. તિલકે પણ એ જ અર્થ પસંદ કર્યો છે. આ રીતે ત્રિગુણભેદે આ અધ્યાયમાં દેહધારીના અને વિશેષે કરીને માનવીને લાગુ પડતા અંગત જીવનમાં કાર્ય કરતી બધી શકિતઓનું નિરૂપણ કર્યા પછી હવે માનવીના સામાજિકજીવન વિષેની વાતનો ફોડ પાડે છે. કારણ કે અહીં સવાલ માત્ર સ્વ-કાર્યનો જ નહોતો, પણ સ્વ-ધર્મનો પણ હતો. એટલે હવે એ મુદ્દા પરત્વે શ્રીકૃષ્ણગુરુ કહે છે. આથી અંગત અને સમાજગત નિયત કર્મ ક્યાં અને ઈતર કર્મ કયાં? તે શંકાનું પણ સમાધાન થશે. ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप । कर्माणि प्रविभक्तानि स्वभावप्रभर्गुवैणैः ॥४१।। બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો, ને શૂદ્રોનાં પરંતપ ! કર્મો જુદાં જુદાં કીધાં, સ્વભાવના ગુણો વડે. ૪૧ હે પરંતપ ! (ખરી રીતે તો મનુષ્યસમાજ શરીરે તો એકરૂપ દેખાય જ છે, પરંતુ સહુની ઉપર કહેવાઈ ગયેલા ગુણભેદે કરીને ખાસિયતો જુદી જુદી હોય છે. એટલે જો ખાસિયતને અનુસારે જુદા જુદા એવા મનુષ્યોને આત્મલક્ષ્ય જાળવીને જુદું જુદું કામ સોંપવામાં આવે, તો તેથી તેને કામનો ખોરાક પણ મળે અને સાથે
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy