________________
ગીતા દર્શન
ધારી રાખે છે (ચિત્તાનરોધની સાધના કરતી વખતે એ બધા વ્યાપારોને સ્થગિત કરી રાખે છે અથવા સંયમિત રાખે છે), હે પાર્થ ! તે ધૃતિ સાત્ત્વિક વૃતિ છે.
ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણ પુરુષાર્થને ફલાકાંક્ષી પુરુષ આસકિતપૂર્વક ધારણ ૯ છે. હે પાર્થ ! તે ધૃતિ રાજસી (ધૃતિ) છે.
તેમજ તે વૃતિદ્વારા દુબુદ્ધિ મનુષ્ય) સ્વપ્ન (નબળાં સ્વપ્નવાળી નિદ્રા) ભય, શોક, ખેદ અને મદ તજી શકતો નથી (એટલે કે મજબૂતપણે તે કુસંસ્કારો ધારણ કરાવી રાખે છે) તે ધૃતિ (હે) પાર્થ ! તામસી (ધૃતિ) છે.
નોધ : મૂળે તો ધૃતિ એટલે ધારણ કરાવનારી શકિત. સારા સંસ્કારો ધારણ કરાવે અને મદદગાર થાય તે ઉચ્ચ કોટિની અથવા સાત્વિક ધૃતિ એ જ આદરપાત્ર છે. શ્રીકૃષ્ણગુરુએ આત્મસંયમયોગમાં યોગસાધનામાં ધૃતિગૃહીત બુદ્ધિની જરૂર બતાવી છે તે આ જ, બાકી રાજસી ધૃતિમાં ધર્મસંસ્કારનું ધારણ કરવાપણું છે ખરું, પણ તે ધૃતિકારમાં ફલાકાંક્ષી દષ્ટિ હોવાથી પતન થવાનો વિશેષ સંભવ રહે છે અને તામસી ધૃતિ તો પતનકારિણી છે જ.
જૈનસૂત્રોમાંહેલા નંદીસૂત્ર'માં મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનના ભેદોમાં ધારણ શબ્દ વપરાયો છે, તે અને આ વૃતિનો મેળ બેસી જાય છે. આપણે કહીએ છીએ કે પડી ટેવ કેમ ટળે, ત્યાં આ ધૃતિ જ સમજવી. પ્રકૃતિની રચનામાં ધૃતિનો આ રીતે જબરો ફાળો છે, માટે ખરાબ સંસ્કાર પડે , તે પહેલાં સાધકે ચેતી જવું જોઈએ અને સુસંસ્કારો પડે તેમાં વિચાર,વચન અને વર્તન પરોવવાં જોઈએ. તેથી સાત્વિક વૃતિઅવ્યભિચારી જ રહે, એટલે કે સ્થિર રહે ! આ ખાતર જ યોગની તારીફ કરી છે. યોગ એટલે કાયમ સુસંસ્કારોનો અભ્યાસ; ઈન્દ્રિયો, મન, પ્રાણ વગેરે ઉપર પાડવો. એમ કરતાં કરતાં સ્થિતિ એવી થઈ જાય કે તેઓ (ઈન્દ્રિયો, મન અને પ્રાણ) આપોઆપ વશ રહે. આવા સંસ્કારોની દઢ ધારણા તે જ સાત્વિક વૃતિ.
તમોગુણને કોઈ જીવ તજતો નથી; તેનું કારણ પૂર્વકાળની સંસ્કારગ્રંથિને લીધે એની વૃતિ જ એવી બની ગઈ છે કે એ જ એને ગમે છે. હાલતાં ને ચાલતાં એ મદ કરે છે. વારંવારનાં નબળાં સ્વપ્નાં વાળી નિદ્રા એને આવે છે, કે જે જૈનસૂત્રો પ્રમાણે દર્શનીયમોહની પ્રકૃતિ છે, અને એ વિષે ગુણત્રયવિભાગમાં કહેવાયુંજ છે. એટલે આ બધું અનિષ્ટ છે એમ જાણવા છતાં એમનું કશું ન તજાય અથવા