________________
અધ્યાય અઢારમો
૫૯૫
આનંદ શબ્દ ન વાપરવાથ, પણ કામ સરી જાય છે. હવે એ બુદ્ધિ, ધૃતિ તથા સુખના પ્રકૃતિગુણને લીધે થતા ભેદો વિષે બોલવાનું શ્રીકૃષ્ણગુરુ વચન આપે છે. તે પરત્વે ધ્યાન આપીએ.
बृद्धभेदं धृतेश्चैव गुणतस्त्रिविधं श्रृणु । प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ||२९|| બુદ્ધિ ને ધૃતિના ભેદ, ગુણો થકી ત્રિધા સુણ;
કહેવાતા પૂરી રીતે, જુદાજુદા ધનંજય ! ૨૯ હે ધનંજય ! બુદ્ધિ અને ધૃતિના ગુણને લીધે, ત્રણ પ્રકારના જુદાજુદા કહેવાતા ભેદને (હવે તું) સાંભળ.
નોંધ : અહીં શ્રીકૃષ્ણગુરુએ “TUતઃ' એ પ્રયોગ ખાસ વાપર્યો છે, તે પ્રકૃતિ સાથે બુદ્ધિને વધુ સંબંધ છે, એ સિદ્ધ કરે છે. એ વિષે અગાઉ પણ કહેવાયું છે. બીજું, અહીં બુદ્ધિ અને ધૃતિને જુદી પાડી છે, તે પરત્વે ધ્યાન ખેંચવા “પૃથક્વે' એ પ્રયોગ વપરાયો હોય એમ ફલિત થાય છે.
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये । बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विका ||३०|| यया धर्ममधर्मे च कार्ये चा कार्यमेव च । अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ||३१|| अधर्म धर्मभिति या मन्यते तमसावृता । सर्वार्थान् विपरीताँश्च बुद्धिः सा पार्थ तामसी ॥३२।। પ્રવૃત્તિ ને નિવૃત્તિ કયાં, કાર્યકાર્ય ભયોભય; બંધ ને મોક્ષ જે જાણે, બુદ્ધિ તે પાર્થ! સાત્વિકી. ૩૦ ધર્મ, અધર્મ ને કાર્ય, અકાર્યનુંય પારખું; બરાબર નહિ જાણે, બુદ્ધિ તે પાર્થ ! રાજસી. ૩૧ અધર્મો ધર્મ માને છે, ઘેરાયેલી તમોગુણો; સૌ વસ્તુ અવળી જેને, બુદ્ધિ તે પાર્થ ! તામસી. ૩૨