________________
અઘ્યાય અઢારમો
આશા ખાતર પણ કંઈક એ રીતે ય સ્વાર્થ-ત્યાગ કરી છૂટે છે, પણ તામસી જ્ઞાનવાળો તો એક પોતામાં જ જગત આવી ગયું એમ માને છે. એવા જ્ઞાનવાળો આસિંકેતરૂપ કાદવમાં ચોંટી જ ગયો હોય છે. આ બધું શા ખાતર કરે છે, એનું પરિણામ શું આવશે તેવી તાત્ત્વિક વાતના પાણીમાં તો એ ઊતરતો જ નથી. બસ કૂવાના મેડકને બીજી શી પરવા ? તે તુચ્છ હોવા છતાં પોતાને સર્વજ્ઞ માનીનેજ વર્તે છે. એટલે રાજસી જ્ઞાનવાળાને તો ઉત્કર્ષનો સંભવ છે, પણ તામસી જ્ઞાનવાળાને તો ભાગ્યે જ સંભવ છે. છતાં અશ્રદ્ધાળુ તામસી જ્ઞાનની સ્થિતિમાં મોક્ષનો કદી સંભવ નથી, તેવું તો શ્રદ્ધાવાળા તામસી જ્ઞાનની સ્થિતિમાં નથી જ. એટલે કે કોઈ કાળે પણ ત્યાં પુરુષાર્થ સવળો થાય, તો મોક્ષનો માર્ગ મોકળો થવાનો સંભવ છે. હવે કર્મ વિષે કહે છે :
नियतं
૫૮૯
सङ्गरहितमरागद्वेषतः
कृतम् I अफलप्रेप्सुना कर्म यत्तत् सात्त्विकमुच्यते ||२३|| यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं* तद् राजसमुदाहृतम् ||२४|| अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् । मोहादारभ्यते कर्म यत्तामसमुदाहृतम् ||२५|| રાગદ્વેષ વિના કર્મ, નિયત સંગમુકત જે, ફલેચ્છા ત્યાગીથી થાતું, તે સાત્ત્વિક કથાય છે. ૨૩ અહંકારીથી જે કર્મ, અથવા કાલિપ્સ (લાલચ)થી કરાય છે ×બહુ યત્ને, રાજસી કર્મ તે કહ્યું. ૨૪ જોયા વિના પરિણામ, હાનિ, હિંસા તથા ગજું;
મોહે પ્રેરાઈ જે કર્મ, થાય તે તામસી કહ્યું. ૨૫ ફ્લેચ્છાથી રહિત એવા પુરુષ વડે આસક્તિરહિત અને રાગદ્વેષ વિના કરાયેલ જે નિયત કર્મ, તે સાત્ત્વિક કર્મ કહેવાય છે.
કામભોગની ઈચ્છા રાખનાર વડે અથવા હું કરું છું એવા અહંકાર ભાવ રાખનાર વડે જે (ધાંધલપૂર્વક) પુષ્કળ પરિશ્રમપૂર્વક કર્મ કરાય છે, જે રાજસ કર્મ કહેવાયું છે.
ઢજેશલપુરું (પાનાં.) × બહુ કલેશે,
*