________________
અધ્યાય અઢારમો
૫૮૭
પછી જેમ મૂઠી છોડાવવા માટે વાનરે ચણાની લાલચ તજવી જોઈએ, તેમ જીવે પણ પોતાના સ્વાભાવિક આત્મપ્રકાશને મેળવવા માટે અથવા કર્મબંધનથી છૂટવા માટે ગુણસંગની લાલચ તજીને એવાં કર્મ સંગ્રહવાં જોઈએ કે જે કર્મથી પાપપુણ્યનાં બંધન છૂટે. આજ લગી તેણે એવાં કર્મ સંગ્રહી લીધાં છે કે જેથી તે કર્યદ્વારા જ એવો હલકટ કર્મસંચય કરે છે કે તેથી ભવભ્રમણ વધ્યા જ કરે છે. ઠીક, લે, મારી સામે સ્થિરતાએ ધ્યાન આ૫) જ્ઞાન, કર્મ અને કર્તા (ઉપરની અપેક્ષાએ; એટલે કે ગુણની દષ્ટિએ)ગુણસંખ્યા (ગુણની ગણતરી કરવામાં આવી છે, તેવા સાંખ્યશાસ્ત્રોમાં ગુણભેદે કરીને (દરેક) ત્રણત્રણ પ્રકારના કહેવાય છે. તે પણ (હવે, તું જેમ છે તેમ (મારી કનેથી) સાંભળ.
નોંધ : સાંખ્યશાસ્ત્ર ગીતાકારને મંજૂર તો છે જ, પણ તેને ય પોતાની દષ્ટિએ છણીને તે મૂકે છે. માટે અહીં યથાવત્' એટલે જેમ છે તેમ' એ ક્રિયાવિશેષણ ગીતાકારે મૂકયું છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ' બસ, એ જ ખરો વિવેક, એ જ્યાં છે ત્યાં આત્મજ્ઞાન છે, અથવા નજીક છે. અને જ્યાં આત્મજ્ઞાન છે, ત્યાં મુનિપણું છે; એટલે કોઈ વસ્તુ કે વ્યકિતને ખોટી કહેવાને બદલે, તે કઈ દષ્ટિએ, કયાં અને કયા પ્રકારે સાચી છે, તે જ સ્વરૂપ નિહાળાય અને સક્રિય સમજાવાય, તો અમૃત જ પથરાઈ રહે. અહીં પ્રથમ તો જ્ઞાનના ભેદો વર્ણવાય છે:
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते । अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ||२०|| पृथकत्वेन तु यज्ज्ञानं नानाभावान् पृथगविधान् । वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥२१।। यत्तु * कृत्स्नवदेकस्मिन् कार्ये सत्त्कमहैतुकम् । अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ||२२|| સૌ ભૂતોમાં જુએ એક અવ્યયોભાવ જે વડે; વિભકતોમાં અવિભકત, તે જ્ઞાન જાણ સાત્ત્વિક. ૨૦ પૃથભાવથી જે શાન, નાનાભાવો જુદાજુદા;
સર્વ ભૂતો નહીં જાણે તે જ્ઞાન જાણ રાજસી. ૨૧ * વેક્સિન (To)