________________
૫૮૬
ગીતા દર્શન
એવા કર્મની પ્રેરણા કરે છે, કે જે આત્માને નીચે જ પાડી દે, અને જો એ શેય, જ્ઞાતા અને જ્ઞાન શુદ્ધ હોય તો એવા કર્મની પ્રેરણા કરે છે જે આત્માને ઊંચે જ લઈ જાય. "હું બ્રહ્મચર્યન માર્ગે જ” એવી પ્રેરણા ઉચ્ચ કોટિના આત્માને થાય છે.
નોંધ : બ્રહ્મચર્યને આચરતો થાય તે પહેલાં સાધકને (૧) મારે બ્રહ્મચર્ય પાળવાનું છે. (જ્ઞય), (૨) તે અમુક રીતે પળાશે તે જ્ઞાન, એ પ્રકારે તે બ્રહ્મચારી (૩) પરિજ્ઞાતા પોતે ચિંતવે છે. એ કર્મનોદના થઈ. અને પછી આવા ચિંતનને અંતે સંકલ્પ કરીને તે બ્રહ્મચારી (કર્તા) નિયમોરૂપી (કરણ) દ્વારા મૂર્તિમંત બ્રહ્મચર્ય (કર્મ) આચરે છે. આ કર્મસંગ્રહ થયો. જો કે બ્રહ્મચર્ય એ આત્માનો સ્વાભાવિક ગુણ છે, છતાં નિયમોથી સધાયો માટે નિયમોનું ફળ અગર કાર્ય પણ તે કહેવાય. આ રીતે જોતાં પ્રત્યેક કાર્યનું પરિણમન થતાં પહેલાં કર્મનોદના અને કર્મસંગ્રહ એ જોઈએ જ.
જ્ઞાતા અને શેય વિષે તો તેરમા અધ્યાયમાં ક્ષેત્રી તરીકે અગાઉ કહેવાઈ ગયું છે, અને ત્યાં જ આચારાત્મક જ્ઞાન વિષે પણ કહેવાયું જ છે. પરંતુ અહીં તો વિચારાત્મક જ્ઞાનની બાબત આવી. એટલે તે જ્ઞાન વિષે હવે કહેવાવું જોઈએ તથા કરણની વાત તો સમજાય તેવી છે. પણ કર્મ અને કર્તાના સંબંધમાં ચોખવટ કરવી જોઈએ. તે માટે હવે ગુરુદેવ કહે છે :
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः । प्रोच्यते गुणसङ्खयाने यथावच्छृणुं तान्यपि ||१९|| જ્ઞાન, કર્મ અને કર્તા, ગુણભેદે ત્રણે ત્રિધા;
સાંખ્યશાસ્ત્ર કહેવાય, યથાર્થ સુણ તે યતું. ૧૯ (પ્યારા પાર્થ ! હવે પ્રસંગ આવ્યો માટે તને કહું છું) જ્યાં સાંખ્યશાસ્ત્રમાં ગુણવિસ્તાર કહેવાયો છે, ત્યાં પણ આ વાત કહેવામાં આવી છે, પરંતુ મેં તને આ પહેલાં આ રીતે આ વાત કરી નથી, માટે અહીં કરું છું. અર્જુન ! જે આત્મજ્ઞાન છે, તેને તો ત્રણે ગુણ માંહેના કોઈનો સ્પર્શ થાય જ નહિ. તો પછી તેના ગુણભેદે કરીને પ્રકાર પડે જ શાના? પણ જે આત્મા કર્તુત્વાભિમાનથી આ પહેલાં ગુણમાં બંધાઈ ગયો છે-જેમ વાંદરો મટકામાંથી ચણા લેવા જતાં એની મૂઠી જ મટકાના નાના મુખમાંથી બહાર ન નીકળતાં બંધાઈ જાય છે. તેમ જ માયામાં સુખ શોધવા જતાં પોતે જ બંધાઈ જાય છે- તેવા કર્તા કર્મસંગી હોઈને તેના જ્ઞાનના, તેવા કર્તાના અને તે કર્મના ગુણભેદે ત્રણ ત્રણ પ્રકાર પડે છે તે દષ્ટિએ કહું છું. એ જાણ્યા