________________
અધ્યાય અઢારમો
૫૮૧
હવે અહીં કર્મની તાત્ત્વિક મીમાંસા કરે છે કે જેથી કર્મ શાથી નીપજે છે - તે સમજાઈને કર્તુત્વાભિમાન અને ફળદષ્ટિ આપોઆપ ટળી જાય !
पतानि महाबाहो कारणानि निबोध मे । सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ।।१३।। अधिष्ठानं तथा कर्ता करणं च पृथगविधम् । विविधाश्च पृथकचेष्टा दैवं चैवात्र पअमम् ||१४|| शरीरवाइमनोभिर्यत्कर्म प्रारभते नरः । न्याय्यं वा विपरीतं वा पोते तस्य हेतवः ॥१५।। કર્મમાત્રની સિદ્ધિમાં, કહ્યાં આ પાંચ કારણો, *સાંખ્યશાસ્ત્ર મહાબાહ, જાણ મારા કનેથી તું. ૧૩ આ શરીર અને કતર ને સાધન જુદાંજુદાં; જાતજાતની ચેષ્ટાઓ૪ ને દૈવ, પાંચમું અહીં. ૧૪ મન વચન કાયાથી, ન્યાયી કે વિપરીત વા;
નર જે કર્મ આરંભે, તેના આ પાંચ હેતુઓ. ૧૫ હે મહાબાહુ ! (મોટા હાથવાળા અર્જુન ! કર્મમાત્રની સિદ્ધિ વિષે સાંખ્યસિદ્ધાંતમાં આ પાંચ કારણો કહ્યાં છે (ત) મારા કનેથી જાણી લે. તે પાંચ આ છે : -(૧) ક્ષેત્ર (આધારભૂત શરીર); (૨) (કર્તા), (૩) જુદાં જુદાં સાધન; (૪) જુદી જુદી ક્રિયાઓ; અને (૫) દૈવ.
શરીર, વાણી કે મનથી મનુષ્ય ન્યાયી અગર વિપરીત (એટલે કે નીતિસર કે નીતિવિરુદ્ધ) જે (કંઈ) કર્મ આરંભે છે તેના આ પાંચ હેતુઓ હોય છે. (મતલબ કે ક્રિયા માત્રમાં આ પાંચ હેતુઓ છે.)
જૈન ગ્રંથકારો (૧) નિયતિ, (૨) કાળ, (૩) સ્વભાવ, (૪) પ્રારબ્ધ, અને (૫) પુરુષાર્થ એમ પાંચ કારણો ગણાવે છે. અહીં આ જાતનાં પાંચ કારણો લીધાં
જ્ઞાનેશ્વર મહારાજે સાખે કૃતાન્ત'નો અર્થ વેદાંતસિદ્ધાંત એવો કર્યો છે છતાં કહેવું જ જોઈએ કે એનું મૂળ સાંખ્યસિદ્ધાંતમાં છે. ૧. શરીરને અધિષ્ઠાન -આધાર કહ્યું છે, કારણ કે એને આધારે જ કર્મ કરાય છે. ૨. કર્તા જીવ છે કારણ કે તેની સંગતિ ન હોય તો પ્રકૃતિ વિા કર્મ કશું કાર્ય શરીર હોવા છતાં લાગણીભર્યું ન કરી
શકે. ૩. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ કરણ છે. ૪. શરીરમાં નાના પ્રકારના થતા વ્યાપારો. જ્ઞાનેશ્વર મહારાજ દશ પ્રાણના વ્યાપારો લે છે. , પૂર્વ કરેલા શુભાશમ કર્મનું ફળ અને પ્રારબ્ધ પણ એક અપેક્ષાએ કહેવાય.