________________
ગીતા દર્શન
નોંધ : યજ્ઞ, દાન અને તપ મનીષિઓને પાવનકર છે, એમ કહેવાથી મનીષિ એટલે ડાહ્યા માણસને જે લાભપ્રદ છે એવું શ્રીકૃષ્ણગુરુદેવનું ગર્ભિત સૂચન કળાઈ રહે છે. અને તે વાત સાચી જ છે. જે માણસને કશો જ વિચાર કે સમજશકિત નથી તે રૂઢિગત તેવી ક્રિયા કરે તેમાં શ્રીકૃષ્ણગુરુદેવને ગમે છે તેવી સાત્ત્વિકતાનો સંભવ ભાગ્યે જ રહે છે. માટે અહીં શ્રીકૃષ્ણચંદ્ર મનીષિ શબ્દ વાપર્યો છે તે હેતુપૂર્વક છે. વળી આગળ જતાં તેઓ કહે છે કે "તે કર્મ પણ આસિત અને કર્મફળની લાલસા છોડીને જ કરવાં ઘટે.” આથી શ્રીકૃષ્ણચંદ્રને ધાર્મિકતાને નામે ચાલતી ક્રિયામાં પણ વિચાર, અનાસકિત અને ફળ તરફની દૃષ્ટિનો અભાવ આ ત્રણે વસ્તુ જોઈએ છે. અને 'ભરતસત્તમ' તથા 'પુરુષવ્યાઘ્ર' એ સંબોધન અર્જુન-પરત્વે વાપરીને આવા ત્યાગમાં ઉત્તમતા અને વાઘ જેવી વીરતા પણ જોઈએ છે, એમ સૂચવ્યું છે.
આ પરથી એ તો સહેજે આપણે જોયું કે કર્મમાત્ર દોષિત છે, એ મત તો આપોઆપ ઊડી ગયો; અને યજ્ઞ, દાન, તપ કરવાનું કહ્યું છતાં સંગ અને ફળ દૃષ્ટિ છોડીને; એટલે બીજા મતની પણ ઊણપ પૂરી કરી ને અધૂરા ઐકાંતિક મતને સહેજે ખસેડી દીધો. કામ્ય કર્મો તજવાં એવા કવિમતને તેમણે જવાબ આપી દીધો કે કર્મ પોતે કામ્ય હોતાં જ નથી. કર્મની પછવાડેની કામનાને લીધે જ તે કામ્ય કહેવાય છે. તો પછી કામ્ય કર્મ તજવાં એમ ન કહેતાં, કર્મ પાછળની કામના છોડવી એમ જ કહેવું જોઈએ.” આ પરથી તે મત પણ શાંત થયો. અને હવે સર્વ - કર્મ-ફળ-ત્યાગવાળા મત ઉપર (અગાઉના વચન પ્રમાણે ત્રણ પ્રકારનો ત્યાગ કહીને) વિશેષ પ્રકાશ પાડે છે, તે જોઈશું. આનું જ નામ તે અગાઉ કહી ગયા તેવી સ્યાદ્વાદશૈલી.
૫૭૬
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते 1 मोहत्तस्य परित्यागस्तामसः परिकीर्तितः 1111 दुःखमित्येव * यत्कर्म कायक्लेशभयात् त्यजेत् । स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ||८|| कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन । सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ||९|| નિયત કર્મ કેરો તો સંન્યાસ; સિંહ નો થતો; મોહથી જો તજે તેને, તો કહ્યો ત્યાગ તામસી, ૫ ર્મ (પાડાં.)