________________
અધ્યાય અઢારમો
૫૭૫
હવે શ્રીકૃષ્ણગુરુ પોતાનો મત રજૂ કરે છે. એ મતમાં આપણે સહુનો સમન્વય જોઈશું. કોઈનો વિરોધ ન કરવા છતાં ઊંડા સત્યનું એવું નિરૂપણ કરશે કે સહુના મોઢાં આપોઆપ બંધ થશે. આનું જ નામ તે જૈનસૂત્રોની પોતાની થયેલી સ્યાદ્વાદશૈલી. એ શૈલીની પૂબી જ એ છે કે સત્યનું મંડન કરતાં આપોઆપ અસત્યનું ખંડન થઈ મત, વાદ, પંથ કે ધર્મને નામે ઝઘડા ટકી શકતા જ નથી-જે વિષે અગાઉ પણ કહેવાયું છે.
निश्चयं श्रृणु मे तत्र त्यागे भरतसत्तम । त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्ततः ॥४|| यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् । यज्ञो दान तपश्चैव पावनानि मनीषिणाम् ||५|| एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च । कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥६।। સુણ નિશ્ચય મારો ત્યાં ભરતશ્રેષ્ઠ ! ત્યાગમાં; ત્યાગ તો પુરુષવ્યાધ્ર ! કહ્યો ત્રણ પ્રકારનો. ૪ યજ્ઞ દાન તપોને ન તજવાં, કરવાં જ તે; મનીષિને કરે શુદ્ધ યજ્ઞ, દાન અને તપ. ૫ પરંતુ એ ય કર્મોને તજી આસકિતને ફળ;
કરવાં એમ છે મારો નિશ્રયે મત ઉત્તમ. ૬ હે ભરતકુલના ઉત્તમ પુરુષ ! (સંન્યાસ અને ત્યાગ એ બે પૈકી) ત્યાં ત્યાગમાં મારો (શો) નિશ્ચય (છે તે) સાંભળ.
(પ્રથમ તો હું એ કહ્યું કે, તે પુરુષ વાઘ! (પુરુષોમાં વાઘ જેવા અર્જુન) ત્યાગ ત્રણ પ્રકારનો (૧) સાત્ત્વિક. (ર) રાજસી અને (૩) તામસી) પ્રખ્યાત છે. (પરંતુ એ ત્યાગનો ફોડ પાડતાં પહેલાં ઉપલા મતો પૈકી કેટલીક બીના કહું.) યજ્ઞ, દાન અને તપાદિ કર્મોને જ તજવાં, પણ તે કરવાં જ. (કારણ કે) યજ્ઞ, દાન અને તપ મનીષિઓને પાવન ક મનોરાં છે. પરંતુ હે પાર્થ ! તને એક સૂચના કરું અને તે એ કે) એ ય કર્મોને પણ આસક્તિ અને ફળદષ્ટિ વર્જીને જ કરવાં એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે.