________________
૬૬૪
ગીતા દર્શન યોજતાં નિત્ય આત્માને, એમ યોગી મનોજથી; નિર્વાણની પર શાન્તિ, પામે છે હું વિષે રહી. (૬.૧૫)
અથવા વશ રાખી બધાં ધારો, હૃદયે મન રોકીને; સ્વપ્રાણ તાળવે રાખી સ્થાપી, યોગ ધરી રહ્યો થકો. (૮,૧૨) ૐ એ એકાક્ષરી બ્રહ્મ, ઉચ્ચારી જપતો મને;
જાય છે તે તજી દેહ, તે પામે છે પર ગતિ.(૮.૧૩). અને એણે સદ્ગુરુ શરણ લીધું હોય તો તે વ્યકિતનો ઉપાસક કહેવાય છે. સદ્દગુરુ શરણ સ્વીકારવું, એ મારા મતે સારું છે, કારણ કે નહિ તો સ્વચ્છેદ અભિમાનાદિ દોષોનો સંભવ છે. જો કે સદ્દગુરુ શરણ સ્વીકાર્યાથી જ પતી જતું નથી. મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા, નિષ્ઠા એ બધું શરીરધારી સદગુરુના હૃદયમાં રહેલા પરમાત્મામાં જોડી દેવું જોઈએ. આવા યોગીને નિત્યયુકતયોગી કહેવાય; અને તે એવો પવિત્ર હોય કે એમનું યોગક્ષેમ સહજ પ્રયત્ન ચાલ્યા કરે. આસકિતવાળા નાસ્તિક અસુર લોકોને પ્રલયકાળ જેટલી અપરિમિત ચિંતાએ જે પ્રાપ્ત ન થાય, તે એને સહેજે પ્રાપ્ત થાય. એવા જ્ઞાનીને અંતરમાં જ આનંદ, શાન્તિ અને આરામ મળે. એના સુખની આગળ કોઈ પણ સુખની ઉપમા જ ન આપી શકાય, એવું એ અતિ-ઈન્દ્રિય સુખ હોય, જે મળ્યા પછી શરીરનો પણ મોહ છૂટી જાય. દેહાધ્યાસ છૂટી ગયા પછી એવા જ્ઞાની પુરુષો કર્મ ન કરે, એમ નહિ; ઊલટા નિર્લેપ રહીને બમણા ઉત્સાહ અને પ્રસાદથી કર્મ કરે. રાજાજી ! એમ ધૃતરાષ્ટ્રને ઢંઢોળી સંજયે કહ્યું : "આટલું સાંભળતાં વચ્ચે જ અર્જુન, પૂછયું:
ગુરુદેવ ! આપ બોલો છો, ત્યારે મને એમ જ લાગે છે કે જાણે આ અમૃતને સાંભળ્યા જ કરું, અને ખરે જ આપ જાણે ઈશ્વરી યોગથી જોડાયેલા જ લાગો છો, આટલી અગાધશકિત આપમાં છે. અને આપે કહ્યું કે જગતમાં સર્વત્ર આત્મતેજ વિલસી રહ્યું છે. તો આપ એ તેજ મને ન દાખવો? જો હું સુપાત્ર લાગતો હોઉ તો મને એ જરૂર દાખવો હું એ રૂપ નજરે જોવા ઈચ્છું છું.'
ત્યારે પ્રસાદથી તરબોળ બનાવતા શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા : અર્જુન આત્માની સ્થિતિ ત્રિવિધ છે, એમ તો તે જાણ્યું છે. હું પરમાત્મા ભાવની જે દશા વર્ણવી