________________
ઉપસંહાર
૬૬૩ સર્વે ઈન્દ્રિયોને વિષયમાં રસ આવે છે, તેનું કારણ પણ તે છે, એ રીતે અસત્ પણ તે અને સત્ પણ તે. ગુણભોક્તા પણ તે અને નિર્ગુણ પણ . બહાર પણ તે અંદર પણ તે, ભૂતોમાં સર્વત્ર એ જ હોઈને અવિભકત પણ તે, અને ભૂતો કર્મસંગે જુદા જુદા ભાવો વેદ છે માટે વિભકત લાગે છે તે પણ તે.”
"અવ્યક્તાકાર હુંથી, આ, વિસ્તરેલું જગત બધું ૯.૪)” એમ હું કહું છું તે આ અપેક્ષાએ. આટલું ક્ષેત્ર અને ક્ષેત્રી વચ્ચેનું અંતર યથાર્થ અનુભવે તે જ ખરો જ્ઞાની. તે ક્યાંય નહિ મૂંઝાય !
"નિયત કર્મ જાણીને અનાસકત ભાવે આચર્યે જશે. નિયત કર્મનો ઠેઠ બ્રહ્મ સાથે સંબંધ છે.”
કૌતેય ! આવા જ્ઞાનીએ જો પોતામાં રહેલા આત્માને ગુરુ કર્યો હોય તો તે અક્ષર અને અવ્યકતનો ઉપાસક ભકત અથવા ધ્યાની કહેવાય છે, તે સાધના આવી હોય છે :
ભવાં વચ્ચે ધરી દષ્ટિ, બાહ્ય સ્પર્શી તજી કરી; નાસિકામાં વહેનારા, પ્રાણાપાન સમા કરી. (૫, ૨૭). ઈન્દ્રિય, મન, બુદ્ધિનો, સંયમી મોક્ષતત્પર; જેનાં ઈચ્છા, ભય, ક્રોધ, ગયાં તે મુકત છે સદા. (૫.૨૮)
અથવા વિજેતા ચિત્ત આત્માનો, આશાત્યાગી અસંગ્રહી; એકાકી યોગી એકાંતે, આત્મા યોજે નિરંતર (ક.૧૦) ન બહુ ઊંચું કે નીચું, કરીને સ્થિર આસન. (૬.૧૧)
-ઉત્તરાર્ધ ચિત્તેઢિયક્રિયા રોકી, એકાગ્ર મનને કરી; આત્મશુદ્ધિ તણા કાજે, ત્યાં બેસી યોગ આદરે. (૬.૧૨) રાખી માથું ગળું કાયા, સમાન અચલ સ્થિર; નાસિકાગ્રે ધરી દષ્ટિ, નહિ જોતાં દિશા ભણી. (૬.૧૩) નિર્ભય ને પ્રશાંતાત્મા, બ્રહ્મચર્ય વ્રતે ઠર્યો. (ક.૧૪)
- પૂર્વાર્ધ.