SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ ગીતા દર્શન અજ્ઞાની અને જાણતા જ નથી. ઉપરના ભૂતસૃષ્ટિનાં ઉત્પત્તિ સ્થિતિશય ઉપરથી પાપપુણ્યનું માપ કાઢવું કે સ્વર્ગનરકનું માપ કાઢવું એ ખરી કસોટી નથી. આત્માને શસ્ત્રથી છેદી શકાય જ નહિ. એટલે મરવાપણું છે જ નહિ. એ અચલ. નિત્ય, સર્વવ્યાપી, જ્ઞાનમય અને અધિકારી છે. અને જેને મરવાપણું છે. એવા દેહને તું ગમે તેટલું લાલન પાલન કર તોય તે મરવાનો છે. એટલે એ બધી નકામી વાતો છે." હવે તને પાપનું મૂળ કહું : પાપનું મૂળ કર્મ નથી. અલબત્ત કર્મના તામસી, રાજસી અને સાત્વિક એમ હલકા ઊંચા ભેદ પડે છે, અને સાત્ત્વિક કર્મ સારું છે, બીજાં અકુશલ છે. છતાં એ કર્મની સાત્ત્વિકતાનું મૂળ નિરહંકારીપણું છે. કર્તા જો અનાસક્ત અને નિરહંકારી હોય, તેમજ ફળ તરફ દષ્ટિ ન રાખનાર હોય તો એ કર્મ પાપિષ્ઠ નથી. અનહંકારી પુરુષ કદી કોઈને ઉગ પમાડવા ન ઇચ્છે છતાંય લોકો ઉગ પામે તો એને એ લોકઉવેગનું કશુંય પાપ લાગતું નથી. પણ આવા જ્ઞાનીને હાથે એવું લોકઉગ પામે તેવું કર્મ જાણે કરીને થતું જ નથી. કઈ માતા પોતાના શિશુને જાણી જોઈને ઈજા કરશે? કયો ભલો વૈદ્ય પૈસા ખાતર દર્દીનું દર્દ વધારશે? છતાં શિશુ કે દર્દી એમને હાથે ઈજા પામે કે હણાય તો એમાં એ તો માત્ર અજ્ઞાત નિમિત્ત છે. તેમ તું પણ આ યુદ્ધમાં એક અજ્ઞાત નિમિત્ત છે, આ જ્ઞાન સમજવા માટે વેદની શ્રુતિઓ અને કર્મ કાંડોથી તારી બુદ્ધિ ગુંચાઈ ગઈ છે એનાથી તું બહાર નીકળ અને પ્રથમ તો સ્થિતપ્રજ્ઞ થઈ જા.” આ યુદ્ધમાં જે હણાવાના છે, તે નિશ્ચય હણાવાના જ છે. એટલે એને તું ઘોર કર્મ ન સમજ, કર્તવ્ય કર્મ સમજ. અલબત્ત યુદ્ધજન્ય હિંસાનું પાપ તો ચોંટશે જ; પણ દુર્યોધનમાં આસકિત હોય તો તે એને જ મુખ્યત્વે ચોટશે બાકી તારે ફાળે તો એવું ગૌણ પાપ આવશે કે જો તારી સમતા હશે, તો તને ચોંટશે જ નહિ. મતલબ કે નિયત અથવા યજ્ઞાર્થ કર્મ કરતો છતો મનુષ્ય પાપી બનતો જ નથી. "એક શેઠ રાજસી તૃષ્ણાથી ધંધામાં અપ્રમાણિકપણે વર્તતો હોય પણ પ્રમાણિક નોકર તો નિઃસ્પૃહી રીતે વર્તે છે, એટલે શેઠને પાપ ચોટે છે પણ પ્રમાણિક નોકર એ પાપને ખંખેરી શકે છે. આ રીતે સમતા નિઃસ્પૃહતા સાધવી જોઈએ. સમતા માટે ઈન્દ્રિયસંયમ જરૂરી છે, પણ મનનાં સંયમ અને સ્થિરતા જોઈએ. મનની સ્થિરતા સારુ વૈરાગ્ય અને અભ્યાસ જરૂરી છે. અભ્યાસ એટલે કુટેવ
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy