SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય સાતમો ૩૩૩ હોય ત્યાં લગી આ સુંદરતામાં માલ શો! હોજરી ખૂબ બગડેલી હોય, ત્યાં લગી સુગંધી મુખવાસ મુખને સુવાસિત ન જ કરી શકે ! અંતે તો દુર્વાસમાં ઉમેરો જ થવાનો. એમ આવા ભક્તોને પણ સમજવું. એટલું ખરું કે એની શ્રદ્ધા, એકાગ્રતા આ રીતે પણ ખીલીને જો નક્કર બને તો છેવટે આ નાશવંત માર્ગ મૂકીને નિત્ય (આત્માનો) માર્ગ પકડે, ત્યારે તે ખૂબ ઉપયોગી થઈ શકે! પણ જો આમ છે, તો આત્મા પોતે જ પ્રકાશમય હોવા છતાં જીવ કેમ અંધારામાં અથડાય છે ! એનું કારણ માયાનો સંયોગ છે. અને માયાનું અંધારુ. એટલે છતી આંખે આંખ મીંચીને સ્વયં આંધળા થયેલાના અંધારા જેવું છે. અજ્ઞાન તે આનું નામ. સ્થૂળ આંખોથી આત્માને જોવા ઈચ્છનારા કેટલાક એમ પૂછે છે કે ઈશ્વર છે? આત્મા છે? જો “હા” કહો તો કહેશે, બતાવો કયાં છે? એવી શંકા કરનારને જ પૂછવામાં આવે કે જે તમે બોલી ગયા, તે શાથી? છેવટે સ્વીકારવું જ પડે છે કે એ બધું ઈશ્વરની શકિતને અથવા આત્માની શક્તિને લીધે જ છે. આટલી પળેપળે પ્રતીતિપાત્ર વસ્તુ હોવા છતાં એની દરકાર નથી થતી, એનું કારણ જ એ છે કે પરસ્વરૂપની એટલી ખરી જિજ્ઞાસા નથી, જેટલી સ્થૂળ પદાર્થ કે રૂપ, આકાર અથવા નામની પડી છે ! અને સંસારવૃદ્ધિનું કારણ પણ તે જ છે. શ્રીકૃષ્ણગુરુ પણ એ જ વાત કહે છે: इच्छाद्वेषसमुत्थेन द्वंद्वमोहेन भारत । સર્વભૂતાનિ સંમોટું સ યાત્તિ પરંતપ || ર૭IL येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् । ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां द्रढव्रताः || २८ ।। રાગપે ઊઠેલા આ, હં મોહે પરંતપ ! સંસારમાં સહુ ભૂતો, પામે સંમોહ ભારત. ૨૭ પણ જે પુણ્યકર્મીનાં, પાપકર્મ છૂટી ગયાં; કંઠ મોહેથી છૂટી તે, દઢવ્રતી ભજે મને. ૨૮ (અ) ભારત ! રાગ અને દ્વેષથી ઊઠેલાં સુખદુઃખાદિ) જોડકાંના મોહે કરીને હે પરંતપ ! આ સૃષ્ટિમાં સૌ ભૂતો સંમોહ પામે છે. (એટલે કે મૂર્ણિત થાય છે, ભ્રમિત થાય છે, અજ્ઞાની બની જાય છે.)
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy