________________
૬૪૮
ગીતા દર્શન
કહેતાં એનાં રુવાં ભયથી ખડાં થઈ ગયાં. થોડીવાર પછી વળી બોલ્યો : “અમાર ગૌરવ શામાં? કૌરવપક્ષ જિતે એમાં કે અમે જિલીએ એમાં? જેને હણ્યા પછી જીવવા ન ઈચ્છીએ તે પિત્રાઈભાઈ કૌરવો તો રણના મોખરે ઊભા છે. શું એમને હણવા ? રાજ્યસુખ લોભવૃત્તિએ કેવા અમને ભૂલવ્યા ! કે આવું કૃત્ય કરવા અમે સજ્જ થયા !' આ વાક્યો સુણી ધૃતરાષ્ટ્રના મનમાં શાબાશ અર્જુન દીકરા !” એવો ઉમળકો આવી ગયો.
સંજયે કહ્યું ઃ રાજન્ ! ધીરા થાઓ. અર્જુનને શ્રીકૃષ્ણચંદ્રનાં અર્જુન ! બાયેલો ન થા” એ વેણ સોંસરાં ઊતરી ગયાં હતાં. શ્રીકૃષ્ણચંદ્ર ઉપર તો એનો પૂરો ભરોસો હતો એનાં વણ ખોટાં હોય એમ એ માની શકે તેમ નહોતું એટલે મૂંઝાયો અને કહ્યું:
નક્કી જે હો શ્રેય મારું કહી તે !
શર્મે આવ્યો શિષ્ય હું શીખ દે તું.” (૨-૭) અને આગળ વધતાં વળી બોલ્યો : એકછત્રી રાજ્ય કે ઈન્દ્રનું ઐશ્વર્ય પણ મારો આ શોક હરવા સમર્થ નથી. માટે આપ ખરો રસ્તો બતાવો, પણ હું લડવાનો તો નથી જ.”
વૃદ્ધ રાજાજી! જુઓ કેવું એ વિચિત્ર બોલે છે! જો એ સાચે માર્ગે હોત તો એની આવી દશા થાત જ નહિ. આવી દશામાં આવી પડેલા ગુડાકેશને હવે હૃષીકેશે શું કહ્યું કે તમે સાંભળોઃ
“અશોચ્યોને અનુશોચે, ને પ્રજ્ઞાવાદ તું વદે,
ગયા પ્રાણ-રહ્યા પ્રાણ તેવું શોચે ન પંડિતો.” (૨-૧૧) પ્યારા અર્જુન ! આમ તારી પાયામાં જ ભૂલ છે. શોક એ વૈરાગ્યનું દેવાળું છે.
જ્ઞાનમય વૈરાગ્યમાં શોક હોય જ નહિ. શિબિ મહારાજાએ હોલાની રક્ષા માટે પ્રાણની બાજી લગાડી, ત્યાં એમના સ્નેહીઓ શોક કરતા હતા. પણ તેઓ પોતે તો પ્રસન્ન જ હતા, કારણ કે, 'સ્વધર્મ મોત છે સારું. પરધર્મ ભયંકર.” એમ એ સમજતા હતા.
તું કદાચ એમ કહેશે કે, હું તો મરવું પસંદ કરું છું.' પણ ભાઈ ! સ્વધર્મ છોડીને મરવું, એમાં કઈ બહાદુરી ! ભાઈ ખરી વાત તો એ છે કે જે માણસ સ્વધર્મ પાલનમાં અખાડા કરે છે અને મરવા તૈયાર છું' એમ બોલે છે તે તેઓની