________________
ગીતા દર્શન
( ૧ નપફય. આ રીતે સાધકમાત્રના જીવનના અંતરંગ સંગ્રામનો ગ્રંથ ગીતાજી
વ રથમાં પ્રથમ તો મનને કદાચ મોહ થાય, પણ એવું વીર અને જિજ્ઞાસ મન માર અંતરાત્માનું શરણું લે અને એ શરણથી એનું જ કહ્યું કરે, તો આખરે એ બધી અશુ વૃત્તિઓ પર વિજય મેળવીને છેવટે વૈરાગ્યરસ પામે. આ જ સ્થિતિ સર્જનની પણ થઈ છે. એટલે આ ગ્રંથ આધ્યાત્મિક ગ્રંથ તરીકે સિદ્ધ થાય છે, પરંતુ આધ્યાત્મિક વસ્તુ જ એવી છે કે જો એ કસોટીથી વ્યાવહારિક બાબતોને પણ કરવામાં આવે તો આબાદ રીતે પાર ઊતરે. એથી જ યુદ્ધ જેવા કટોકટીના પ્રસંગમાં પણ ગીતાનું આધ્યાત્મિક ઝળહળતું રહે છે, માટે જ તે નક્કર આધ્યાત્મિક છે.
સંજયે કહ્યું : “આપના પુત્ર દુર્યોધને યુદ્ધ પહેલાં જ દ્રોણાચાર્યને પાનો ચડાવ્યો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવસેનાનો એવો સુંદર યૂહ ગોઠવતો હતો કે સૈન્યસંખ્યા નાની છતાં વિપુલ દેખાતી હતી. ભીમ એ સૈન્યનું રક્ષણ કાળજીપૂર્વક કરી રહ્યા હતા. ઉપરાંત ઘણા વીરો પાંડવપક્ષે પણ હતા. આ બધી જાણ કરી સાવધ કર્યા. ભીષ્મ કરતાં દુર્યોધનને દ્રોણ પ્રત્યે વધુ વિશ્વાસ હતો. દુર્યોધનના ખાતર ભીષ્મની જાન કુરબાન કરવાની પ્રબળ ઈચ્છા હતી; છતાં તેઓ દઢ ટેકીલા હતા. પાંડવોના નૈતિક પક્ષપાતી હતા. આથી તમારા પુત્ર દુર્યોધનને શંકા રહેતી. દ્રોણાચાર્ય અને દ્રુપદને વૈર હતું. કર્ણ અને પાંડવોને વૈર હતું એટલે દ્રોણ અને કર્ણ બને પરત્વે દુર્યોધનને વધુ વિશ્વાસ હતો; પણ તેથી ભીષ્મને કશું ઓછું નહોતું લાગતું. તેઓ તો સમર્થસહિષ્ણુ હતા. આથી તેમણે દુર્યોધન રાજી થાય તેમ સિંહ જેવી ગર્જના કરી યુદ્ધની સલામી તરીકે શંખ ફૂંકયો અને પછી રણવાદ્યો એક સામટાં વાગી ઊઠ્યાં. અહો કેવો તુમુલ સ્વર !"
ધૃતરાષ્ટ્રના મોં પરની આતુરતા નિહાળી સંજયે આગળ ચાલવ્યું: "ત્યાં તો ધોળા ઘોડાવાળા રથના સારથિ બનેલા એવા માધવ અને ગાંડીવ ધનુર્ધારી પાંડવે પણ "અમે સુધ્ધાં તૈયાર છીએ.” એમ સૂચવતા શંખ ફૂંક્યા. પહેલ દુર્યોધને કરી એટલે એને આ યુદ્ધનો ખૂબ ચડસ હોય એમ સહુ કોઈ કળી ગયું. પાંડવપક્ષના વીરોએ જ્યારે શંખો ફૂંકયા ત્યારે તો એવો આકાશ અને પૃથ્વી વચ્ચે ચોમેર વ્યાપતો ભયંકર નાદ થયો કે આપના પુત્રોનાં હૃદય ચીરી નાંખ્યાં. પણ દુર્યોધન એટલેથી હજુ સમજે તેમ નહોતું. તેણે પોતાના પક્ષને સજ્જ કર્યો.”