________________
||
ગી સમગ્ર ઉપસંહાર
liillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll મહાભારતનું યુદ્ધ ખાળવા, શ્રીકૃષ્ણમહાત્માએ ઘણું કર્યું, પણ ન મળ્યું. દુર્યોધનના અંતરમાં એકલી દુર્મતિ હતી. પાંડવો શરત પ્રમાણે વનવાસ અને ગુપ્તવાસ સેવી આવ્યા. નૈતિક દષ્ટિએ તેઓ હવે હસ્તિનાપુરના અર્ધા રાજ્યના હકદાર હતા. પણ અર્ધ રાજ્ય તો દૂર રહ્યું, પાંચ ગામ પણ આપવા દુર્યોધન તૈયાર ન હતો. એને યુદ્ધની ખુજલી ઉપડી હતી. દ્રોણ અને ભીષ્મને એણે આર્થિક મદદો આપી પોતાના ઋણી બનાવ્યા હતા. એટલે તેઓ યુદ્ધ ખાળવા માટે શ્રીકૃષ્ણ મહાત્માના વિચારોમાં ટેકો આપે એની અસર દુર્યોધનને કશી ન થતી. ઊલટું એમ લાગતું કે દ્રોણ અને ભીષ્મ બન્ને યુદ્ધમાં મારા પક્ષે જોડાવું પડે, એટલા માટે તેઓ અખાડા કરે છે. વિદુરે ઘણી મહેનત કરી પણ દુર્યોધન પર એની અસર પણ ન પડી. ઊલટો એના પર તો એ ચિડાયો. ધૃતરાષ્ટ્ર પિતાનું પણ એણે ન માન્યું. તટસ્થ તરીકે શ્રીકૃષ્ણમહાત્મા અજોડ પુરુષ હતા. એમની વિષ્ટિને પણ એણે નકારી દીધી. કર્ણ તો પાંડવો પ્રત્યે ઈર્ષ્યાળુ હોઈને એણે તો એને નરમ પાડવાને બદલે ઊલટો ઉશ્કેર્યો હતો. એટલે દુર્યોધનપક્ષે આ યુદ્ધ ધર્મ નહોતું; કારણ કે તે અનાયાસે આવી પડેલું નહોતું, પણ ઊભું કરેલું હતું.
આ તરફ પાંડવોમાં અર્જુન વીર અને સમજદાર હતો. દ્રૌપદીજીને એ વધુ પ્રિય હતો. યુધિષ્ઠિર તો સરળ ધર્મરાજા જ હતા; છતાં દ્રૌપદી પ્રત્યે ભરસભામાં દુર્યોધને આચરેલું દુર્વર્તન તો એમને પણ સાલતું તો પછી અર્જુનને તો કેમ જ ન સાલે? ભીમ તો હણે એને હણીએ” એ ઉકિતનો પૂરો હિમાયતી હતો જ. દુર્યોધનની દુષ્ટતા જોઈ એને હૈયે આગ વરસતી હતી. એટલે વૈરનો બદલો લેવા એ તલસી રહ્યો હતો. પણ વિનયગુણ ખીલેલો હોઈને, એ યુધિષ્ઠિરની આજ્ઞાબહાર જાય તેમ તો નહોતું જ. યુધિષ્ઠિરને અર્જુન નાનો હોવા છતાં એના ગુણને લીધે એના તરફ માન હતું. સહદેવ અને નકુલ તો છાયાની જેમ મોટાભાઈને અનુસરતા. આમ જોતાં પાંડવપક્ષમાં અર્જુન નાયકપાત્રની ભૂમિકા પર હોય એ સ્વાભાવિક છે.
બીજી તરફ શકુનિની મદદથી જુગાર ખેલવાના પ્રપંચથી માંડીને આજલગીનું દુર્યોધનનું વર્તન સાચી ક્ષત્રિયવટથી સાવ ઊલટું હતું. માત્ર એનામાં એક એ