________________
અધ્યાય અઢારમો
૬૩૯
કરવાં જ ઘટે, એમાં એનો અંગત વિકાસ અને સામાજિક વિકાસ બન્ને જોડાયેલાં છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગના કર્મો ગુણપ્રધાન છે અને વૈશ્ય તથા શૂદ્રનાં કર્મો કર્મપ્રધાન છે. છતાં તે પૈકી કોઈ એક વ્યકિત કે જાતિને કોઈ અમુક કામનો જ ઈજારો હોતો નથી. અલબત્ત પિના કેટલાક સંસ્કારો બાળકને અનુકૂળ થાય છે તો તે જરૂર પોતાનું પ્રકૃતિનિરીક્ષણ કરીને બાપનું કર્મ ભલે પસંદ કરે. પણ સમાજની હક તેમાં ન હોવી જોઈએ કે આણે અમુક જ કરવું, અમુક ન કરવું. જે એક વ્યક્તિ ચારે વર્ષોનાં કર્મો એક સાથે બજાવી શકે તે તો સર્વોત્તમ જ છે પણ ત મ ન બની શકે તો રાજીખુશીથી (ચ નીચના ભેદ ન પાડતાં સહુ આત્મલક્ષ્યને અનુકૂળ અને પોતાની પ્રકૃતિને અનુરૂપ એવાં પોતપોતાનાં કર્મ પસંદ કરી, તે મને નિરભિમાનપણે બજાવે. એમ કરવાથી એ કર્મ પ્રભુચરણે અર્થ ધર્યા તુલ્ય જ ગણાશે."
| "આમ જોતાં તારે ફાળે અત્યારે યુદ્ધ એ સ્વધર્મ છે. તારા પ્રકૃતિના ઘડતર પ્રમાણે પણ એ જ કર્તવ્ય છે. એટલે તું નહિ ઈચ્છે તો પણ તારે જોડાવું જ પડશે; અહંકારથી ભાગ્યો તો આત્મવિનાશ છે; અને અકીર્તિ આદિ પણ છે જ. અલબત્ત તું અહિંસાધી લડતો નથી એટલે યુદ્ધજન્ય પાપનું વાયુમંડળ તારી આસપાસ પણ વીંટળાશે; પરંતુ તારે પક્ષે થાય છે એટલે એ અનિવાર્ય તરીકે ગણી શકાય. આથી યુદ્ધજન્ય પાપ નું નિવારી શકે છે. એ નિવારવા માટે તારે એમ કરવું કે મન, બુદ્ધિ, ચિત્ત અને કર્મમાત્ર મને સમર્પવાં. તો તું પાપથી છૂટીશ.”
"તારા અંતરમાં રહેલા ઈશ્વરને શરણે જવું અને મારે શરણે આવવું એ બન્ને એક જ છે. આ તો તું મને બહુ વહાલો છે માટે તેને કહ્યું. બસ, હવે તને જેમ ફાવે તેમ કર. હા, પણ તું તો મારો જ છો અને સુપાત્ર છો, એટલે ફાવે તેમ બીજું શું કરવાનો હતો ?" | "બોલ હવે, એકાગ્રચિત્તે સાંભળતાં અજ્ઞાનજન્ય તારો મોહ સાવ સાફ થયો
ને ?"
ઉમળકાથી ઊછળતા અને કહ્યું:
"જરૂર ગુરુદેવ " મન પ્રસાદે. હવે હું પૂરું સમજી શકયો છું. આપના કથનનો મર્મ સમજ છું. છે કે આ ભાન થયું છે. હવે હું આપના કહ્યા મુજબ વતીશ.”