SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય અઢારમો ૬૩૫ સંક્ષેપમાં કહીશ,તોપણ તું સમજી જઈશ. એમ મને લાગે છે. અર્જુન ! સંન્યાસાશ્રમ કે ત્યાગાશ્રમ ગમે તે આશ્રમમાં જાય પરંતુ સંપૂર્ણપણે કર્મત્યાગ સંભવતો જ નથી. એટલે કામ્ય કર્મોને તજવાં એને કોઈ સંન્યાસ કહે છે. પણ કયાં કામ્ય અને કયાં અકામ્ય? કયાં કર્મને સત્કર્મ કહેવું અને કયાં કર્મોને અકર્મ કે વિકર્મ કહેવાં, એ નક્કી થઈ શકતું નથી. ત્યારે કેટલાક એમ જ કહે છે કે કર્મમાત્ર દોષિલાં છે, માટે સર્વને તજવાં. ત્યારે કેટલાક કહે છે કે ના, જો બધાં કર્મોને તજશો તો જિંદગીનો હેતુ જ માર્યો જશે. માટે સ્વર્ગપ્રદ એવાં દાનાદિ અને મોક્ષપ્રદ તપશ્ચર્યાદિ કર્મો તો કરવાં જ જોઈએ. ત્યારે કોઈ વિચક્ષણ જનો કહે છે કે ભાઈ, સર્વ કર્મના ફળનો જ ત્યાગ કરો, એ જ ખરો ત્યાગ છે." ભારત ! એ બધાં મંતવ્યોમાં આંશિક સત્ય છે જ. હું એ આંશિક સત્યને લઈ એની સાથે આટલું ઉમેરું છું કે કર્મ તો કરવો જ, પણ આસકિત અને ફળદષ્ટિને તજીને કરવાં. જો કે કોઈ પણ કર્મની આગળ પાપ તો ઊભું જ છે ! અગ્નિ સળગાવતાં ધૂમ અનિવાર્ય છે તેમ એ અનિવાર્ય છે. પણ જેમ ધુમાડાથી બચવા માટે રસોઈઘર સગવડવાળું રાખીએ છીએ અને ધૂમ ન વધે તેવી કાળજી રાખી બળતું ચેતાવીએ છીએ, તેમ આસક્તિ ન રાખીએ અને ફળ તરફ દષ્ટિ નઠેરવીએ તો એ કર્મજન્ય પાપ આપણને લેપી રકતું નથી. - "પ્રિય પરંતપ ! જોકે સંન્યાસ અને ત્યાગ બન્નેનું તત્ત્વ વસ્તુતાએ એક જ છે. છતાં પરિભાષાભેદે તું નોખું માગતો હોઈશ; તો હું કહું છું કે આત્માને વશ રાખી સ્પૃહાઓ છોડીને બુદ્ધિને અનાસકત રાખવી, એનું જ નામ તે સંન્યાસ. આવા સંન્યાસથી પરં નૈષુમ્મસિદ્ધિ થાય છે. અને નૈષ્કર્મેસિદ્ધિથી બ્રહ્મ મળે છે, કે જે શાનની પરાકાષ્ઠા છે." પણ કૌતય ! આથી તું એમ જ માનીશ કે હું સંન્યાસ, સંસ્થાનો એકાંતે વિરોધ જ કરું છું ! અલબત્ત ભગવાં કે ધોળાં કપડાં પહેરીને કાયરતાથી નિયતકર્મને છોડી ભાગી છૂટનાર ત્યાગી ગણાતો નથી. કારણ કે તેવાં નિયતકનો સંન્યાસ થઈ રકતો જ નથી. નિયતકર્મ એટલે ઘણા કાળથી થયેલું આત્માના સંગે પ્રકૃતિનું ઘડતર અથવા પ્રકૃતિના ગુણોના સંગી આત્માનું સ્વભાવ ઘડતર. આવું સ્વભાવનિયતકર્મ જ્યારે આત્મલક્ષી દષ્ટિ રાખીને સાઘક કરે છે, ત્યારે કર્મ કરતો
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy