SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દર્શના અધ્યાય અટારમો ઉપોદઘાત યુદ્ધક્ષેત્રમાં જોડાયા પછી જ્યારે અર્જુન મોહદયાને વશ થઈ ઢીલો પડી યુદ્ધ કરવું” એ સ્થૂળ ક્રિયાને જ પાપ માનવા લાગ્યો, ત્યારે શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું કે " આ તારી હૃદયદુર્બળતા છે.” આ સાંભળી અર્જુને કહ્યું : "તો પછી તમને હું ગુરુ સ્વીકારી શરણે આવું છું. મને ખરો માર્ગ દેખાડો.” ત્યારે શ્રીકૃષ્ણગુરુ બોલ્યાઃ "સ્થિતપ્રજ્ઞ થઈને તારે યુદ્ધ કરવું ઘટે.” પછી અર્જુને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ જાણ્યાં અને તેને લાગ્યું કે "પ્રજ્ઞા જ ઉત્તમ હોય તો ઘોર કર્મમાં મારે જોડાવું શા માટે ?” શ્રી કૃષ્ણચંદ્ર કહ્યું : "કર્મ કર્યા વિના કોઈનો છૂટકો નથી. મેં આ વાત નવી નથી કહી." અને પૂછયું: "શું તમે જૂના છો?" શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું: "હા, દેહ નવો છે, મારો આત્મા પુરાણો છે. એમાં તું પણ યોગથી કર્મસંન્યાસ કરી જોડાઈ જા, એટલે કર્મ બંધન નહિ થાય.” ત્યારે વળી અર્જુનને મૂંઝવણ થઈ, અને તે બોલ્યો : "કર્મસંન્યાસ અને યોગ બન્નેને સાથે શા માટે લો છો? તેમાંથી કયો ઉત્તમ, તેટલું જ નક્કી કદી દોને !” શ્રીકૃષ્ણચંદ્ર સ્મિત કરીને કહ્યું : ભાઈ! તે બન્ને એક જ સિક્કાનાં બે પાસાં છે. એકને સરખી રીતે વળગનાર બન્નેનું ફળ મેળવે છે. વિકલ્પોના સંન્યાસ વિના યોગી ન થવાય, અને યોગ વિના સાચો સંન્યાસ સુલભ ન થાય. પ્રિય પાર્થ ! તું આ બધી ઝંઝટ છોડી શ્રદ્ધાથી મારું શરણ સ્વીકાર. મારું એટલે શ્રીકૃષ્ણ શરીરનું નહિ, પણ શ્રીકૃષ્ણ શરીરમાં બેઠેલા આત્માનું. બધું વિશ્વવિજ્ઞાન એને એકને જાણવાથી આપોઆપ જણાઈ જાય છે. બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, બધું એની આસપાસ જ વીંટળાયું છે. વિભૂતિઓ પણ એકમાત્ર એને લીધે છે.” ત્યારે અર્જુન લલચાયો "ગુરુજી ! એ દિવ્ય વિભૂતિ આપ બતલાવો.” શ્રીકૃષ્ણચંદ્ર કહ્યું : "આ દિવ્યચક્ષુથી જો.” જોયા પછી અર્જુન ન સહી શકો. એમાં એણે બધું જ જોયું, પણ તેમાં તૃપ્તિન થઈ. ભયંકર વેદનાવાળા લોકોને જોઈને તો એ બી ગયો. અને જ્યારે માનુષી રૂપ જ એને ઠીક લાગ્યું તેમ જ ગુરુભકિત જ ગમી ત્યારે શ્રીકૃષ્ણગુરુએ કહ્યું "પરમ શ્રદ્ધાથી મને ભજે, એ જ મારો પ્રિય ભકત. અને હું એટલે શ્રીકૃષ્ણ નહિ પણ ક્ષેત્રજ્ઞ
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy