________________
૩૩૧
અધ્યાય સાતમો
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥ २४ ॥ नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः । मूढोऽयं नामिजानाति लोको मामजमव्ययम् ।। २५ ।। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन । भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥ २६ ॥ છું અવ્યકત, છતાં વ્યકત માને અજ્ઞાનીઓ મને; અજોડ અવ્યથી મારો પર ભાવ ન જાણતા. ૨૪ ઢંકાયો યોગ માયાએ, તેથી સૌને કળાઉ ના; ન જાણે મૂઢ આ લોક, અજ ને અવ્યયી મને. ૨૫ થયેલાં ને થતાં ભૂતો, વળી અર્જુન જે થશે;
તે સર્વને હું જાણું છું, મને જાણે ન કોઈ એ. ૨૬ (હું ખરી રીતે અવ્યકત છું, નામ રૂપ રહિત છું, એટલે ઈન્દ્રિયથી કેમ દેખાઈ શકું, ભલા! છતાં જે અજ્ઞાની લોકો આ રહસ્ય સમજતા નથી તે મને ઈન્દ્રિયગમ્ય કરવા માગે છે અને તેથી તે એવા સ્થૂળ રૂપકને જ પ્રભુ માનીને વર્તે છે. એટલે કે સ્વભાવે) હું અવ્યકત છું, છતાં મને વ્યકિતત્વ પામેલો અજ્ઞાનીઓ માને છે. (બીજા શબ્દોમાં કહું તો શરીરને જ તેઓ આત્મા માની લે છે, એટલે એ અબૂઝો શરીરના સુખે સુખ અને શરીરના દુઃખે દુઃખ માની હર્ષ-ખેદનાં જોડકાં અનુભવે છે. તેથી જ) અજોડ (તુલના કરીએ તો કોઈ જેનાથી ઉત્તમ નથી એવા) અને અવ્યયી (અવિનાશી) એવા મારા પર (સર્વ શ્રેષ્ઠ) ભાવ (સ્વરૂપ)ને ન જાણતા થકી જ આમ કરે છે (ત તારે ન ભૂલવું જોઈએ.)
(ધનંજય! કારણ તો એ છે કે, હું યોગમાયા (સંસારજનક માયા)થી ઘેરાયેલો હોઈને સૌને (બધા અંગો દ્વારા) પ્રગટ નથી. (એ તો દેખીતી વાત છે. છતાં હું વસ્તુતઃ જન્મતો નથી ને મરતો પણ નથી. પરંતુ, આ મૂઢ લોક અજ (અજન્મા) અને અવિનાશી (એવા) મને ઓળખી શકતા નથી.
(વળી એક ખૂબીની વાત કહું તે સાંભળ.) હે અર્જુન ! (પૂર્વે થયેલાં, વર્તમાન અને ભવિષ્ય થનારાં ભૂતકાત્રોને હું જાણું છું. (કારણ કે સહુમાં હું રૂપ આત્મા છેતે જન્મ, સ્થિતિ અને મરણદશા, ત્રણે કાળે – સર્વ કાળે - સર્વ અવસ્થામાં કાયમ