________________
૫૬૦
ગીતા દર્શન
માટે ૩ૐ એમ ઉચ્ચારી, યજ્ઞદાનત પક્રિયા; સતત બ્રહ્મવાદીની, પ્રવર્તે વિધિપૂર્વક. ૨૪ તથી તજી ફલેચ્છાને, યજ્ઞદાનતપક્રિયા; જુદા જુદા પ્રકારોથી, મુમુક્ષુઓ વડે થતી. ૨૫ સતુ શબ્દ તો પ્રયોજાય, સદુભાવે સાધુભાવમાં; તેમ તે વળી યોજાય, પાર્થ ! પ્રશસ્ત કર્મમાં. ૨૬ થશે તપે અને દાને, જે નિષ્ઠા તેય સત્ કહી;
તને અર્થે કરેલું તે, કર્મ ય સત્ કથાય છે. ૨૭ (હે પરંતપ ! એ બ્રહ્મનો પ્રથમ નિર્દેશ છે) માટે બ્રહ્મવાદીઓ (બ્રહ્મલક્ષીઓ)ના ઉચ્ચાર સાથે જ યજ્ઞ, દાન અને તપની (કે બીજી તેવી કોઈપણ) ક્રિયાઓ પ્રવર્તતી હોય છે. આથી એ ક્રિયા) વિધિપૂર્વક (ની ઠરે છે.)
(ફળની તૃષ્ણા ન રાખી બ્રહ્મ અર્થે જ સર્વ કંઈ કરવું એ સૂચવતો તત શબ્દ છે માટે) તત્ એમ ફલનું અનુસંધાન ન રાખતાં યજ્ઞ, દાન અને તપની (અથવા બીજી તેવી કોઈપણ) ક્રિયાઓ મોક્ષના અભિલાષીઓ વડે જુદા જુદા પ્રકારે થાય છે. અને તે પાર્થ ! સત્ શબ્દનો પ્રયોગ સદ્ભાવ અથવા સાધુભાવમાં થાય છે. અને પ્રશસ્ત એવાં કર્મમાત્રમાં પણ સત્ શબ્દનો પ્રયોગ થઈ શકે છે.
(અથવા હે પાર્થ ! વધુ શું કહું?) યજ્ઞ, તપ કે દાનમાં જે નિષ્ઠા છે તેને ય સત્ કહેવાય અથવા તત્ (એટલે મુમુક્ષતા મેળવવા અથવા ફળેચ્છા ત્યાગવા) સારુ કરેલું કર્મ પણ સત્ જ કહી શકાય છે.
નોંધ : અર્જુનના પ્રથમ પ્રશ્નમાં જે નિષ્ઠા શબ્દ હતો, તેનો આ સત્તાવીશ શ્લોકમાં અત્યંત સરસ ઉત્તર સ્થિતિ' શબ્દથી અપાઈ ગયો. યજ્ઞ, દાન અને તપના ઉપર જે ત્રણ પ્રકારો કહેવાય તે પૈકી સાત્ત્વિક જ ઈષ્ટ છે, તેમાં નિષ્ઠા હોય તો તે પણ સત જ કહેવાય.
આ રીતે શ્રીકૃષ્ણગુરુદેવ '' ધ્વનિને પ્રથમપદે મૂકે છે. કેવળ જે બ્રહ્મના પિપાસુ છે, તે ૐ એમ બોલીને ધ્યાનદ્વારા પરંપદ પામે છે એ વાત (અ. ૮-૧૩) આવી ચૂકી છે.
પછી બીજા પદમાં તતુ મૂકે છે એટલે કે ફળાશાત્યાગીને મૂકે છે. ખરી રીતે ગીતાનું આ જ મધ્યબિંદુ હોઈને ફળાશાત્યાગની દૃષ્ટિથી કરાયેલું કોઈ પણ કર્મ