________________
અધ્યાય સત્ત૨મો
ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः । ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ||२३|| ૐ તત્ સત્ એમ નિર્દેશ, બ્રહ્મનો ત્રણ જાતનો; તે વડે બ્રાહ્મણો, વેદો, યજ્ઞો શાસ્ત્રોકત છે જૂના. ૨૩ ૐ તત્ સત્ એમ બ્રહ્મનો ત્રણ જાતનો નિર્દેશ હોય છે. તેને લીધે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો પણ શાસ્ત્રોકત (અથવા વિદ્યાનોકત) પૂર્વકાળથી જ ઠરી ચૂકયા છે.
૫૫૯
નોંધ : બ્રાહ્મણનો અર્થ અહીં જાતિપરત્વે છે જ નહિ. પરંતુ ગૌતમ બુદ્ધ જેમ કહે છે અને જૈનસૂત્ર ઉત્તરામાં યજ્ઞીય અઘ્યયનમાં ખુલાસો કર્યો છે, તેમ બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. ઠેરઠેર આર્ય વિધિઓમાં બ્રાહ્મણનું મહત્ત્વ સંસ્કૃતિની દ્દષ્ટિએ જ છે અને તે પ્રાચીન કાળનું છે.
(સ્વર-વ્યંજન-રૂપી) અક્ષરથી બ્રહ્મને ઓળખવા માટે ૐ શબ્દ જ પૂરતો છે. આ શબ્દનો જૈનો, બૌદ્ધો અને વૈદિક મતાવલંબીઓ પૂરા હેતથી અપનાવે છે. હિંદ બહા૨ના ધર્મોમાં વપરાતો 'આમિન' પણ 'ૐ'ને મળતું જ રૂપ છે. 'ૐ' એ શબ્દનો ઉચ્ચાર અને તેને લીધે ફળતો ભાવાર્થ આત્મા અને વિશ્વને પૂરી રીતે વ્યાપક ભાવે સ્પર્શે છે.
અહીં વેદ શબ્દનો અર્થ પણ વેદશાસ્ત્ર નહિ પરંતુ ફળનો ત્યાગ કરાવનાર જ્ઞાન' એ અર્થ લેવો, એવો ગીતાઆશય છે. ગુરુદેવ વેદના બદલામાં તત્ શબ્દ વાપરે છે. અને યજ્ઞનો અર્થ ધર્મમય પુરુષાર્થ તો છે જ. અગાઉ ત્રીજા અઘ્યાયમાં આ વાત આવી જ ચૂકી છે (૩-૧૦). છતાં અહીં એને ઠેકાણે સત્ શબ્દ વાપરીને તેઓ આપણને પૂરી ખાતરી કરાવે છે. આગળ વધતાં તેઓ આ જ વાતને વિશેષ ચોખ્ખી કરતાં કહે છે :
तस्मादोमित्युदाहृत्य
યજ્ઞાનતપ: ક્રિયા:
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ||२४|| तदित्यनमिसन्धाय નં યજ્ઞતપઃ ક્રિયાઃ । दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकांक्षिभिः ||२५|| सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते । प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ||२६|| यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवामिधीयते ||२७||