________________
૫૫૨
ગીતા દર્શન
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् । ब्रह्मचर्यमहिंसा च कायिकं तप उच्यते ||१४|| अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् । स्वाघ्यायाभ्यसनं चैव वाड्मयं तप उच्यते ||१५|| मनःप्रसादः सौम्यत्वं मौनमात्म विनिग्रहः । भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ।।१६।। श्रद्धया परया तप्तं तपस्तत् त्रिविधं नरैः । अफलाकांक्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ।।१७।। सत्कारमानपूजार्थं तपो दम्मेन चैव यत् । क्रियते तदिह प्रोक्तं राजसं चलमधुवम् ॥१८।। मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः ।। परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ||१९|| દેવ-દ્વિજ-ગુરુ-પ્રાજ્ઞ, પૂજન સ્વચ્છતા તથા; બ્રહ્મચર્ય, અહિંસા ને, સારલ્ય, તપ કાયનું. ૧૪ અપીડાકારી જે વાકય, સત્ય પ્રિય હિતાવહ; વળી સ્વાધ્યાય અભ્યાસ, કહ્યું તે તપ વાણીનું. ૧૫ આત્મસંયમ ને મૌન, મન પ્રસાદ સૌમ્યતા; ભાવની શુદ્ધિ એ એમ, કહ્યું છે મનનું તપ. ૧૬ યુકત-ત્યાગી ફલેચ્છાના, જે નરો ઉપલી રીતે; તપે શ્રદ્ધા પર રાખી, તે કહ્યું તપ સાત્ત્વિક. ૧૭ સત્કાર માન પૂજાયેં, ને દંભથી જ થાય છે; ચલ અધ્રુવ તે ભાખ્યું, રાજસી તપ તે અહીં. ૧૮ મૂઢ હઠે કરાય , આત્મપીડા થકી તપ;
અથવા અન્ય નાણાર્થે, તે કહ્યું તપ તામસી. ૧૯ (ઉજ્વળ આર્ય અર્જુન! જેઓ રાગદ્વેષથી રહિત છે તેવા દેવ તે સૌથી પ્રથમ, ત્યાર પછી સંસ્કારના દેનાર બ્રાહ્મણ અગર આચાર્ય અને ત્યારબાદ આપણા વિદ્યાગુરુ અથવા વડીલ મુરબ્બીઓ, તેમજ જગતના ઉપકારો જ્ઞાનીજનોએ