________________
૫૫૦
ગીતા દર્શન
यातयामं गतरसं पूतिपर्युषितं च यत् । उच्छिष्टमपि चामेघ्यं भोजने तामसप्रियम् ||१०|| પહોર ટાઢું ગંધાતું, વાસી ને રસહીન જે;
અપવિત્ર અને એઠું, તે ખાણું તામસીપ્રિય. ૧૦ (પાર્થ !) પહોર લગી પડી રહેલું, ગંધાતું, રસે ઊતરી ગયેલું, સૂકું ઘણા વખતનું વાસી, એઠું અને અપવિત્ર ખાણું તામસી લોકોને વહાલું હોય છે.
નોંધ : આથી પાઠકને નવાઈ પામવા જેવું નથી. ઘણી કોમો અને ઉજળિયાત કોમોની ગણાતી પણ કેટલીક વ્યકિતઓ એવી હોય છે કે જેને સોડવેલો આહાર વિકર લાગે છે. ખરી રીતે તો અમુક પ્રકારના વાસી આહારમાં સૂક્ષ્મ જંતુઓ પિજીને તામસતા વધારે છે.એઠા આહારમાં વૈદ્યકીય દષ્ટિએ પણ ખૂબ હાનિ છે. એકબીજાની લાળ ભળે અને જીવો પણ ઊપજે એ સંભવિત છે. એટલે જેમ આવું ખાણું પોતે ન લેવું તેમ બીજાને પણ ન આપવું જોઈએ. કેટલાક ધાર્મિક વૃત્તિવાળા માણસો એઠું લેવા આવનારને એઠું અન્ન આપે છે, તે રૂઢિ તજવા યોગ્ય છે. વળી જેઓ સાત્વિક વિચાર ધરાવે છે અથવા સાત્ત્વિકતાને તલસે છે તેમણે 'અમેધ્ય આહાર'નો અર્થ માંસાહાર એવો કરીને માંસાહારનો સદંતર ત્યાગ કરવો ઘટે છે. રાજકીય, સામાજિક અને ધાર્મિક એમ પ્રત્યેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરનારાં ચુનંદા નો નિર્માસાહારી હોવાનું સહુની જાણમાં હશે જ.
अफलाऽकाझिमिर्यज्ञो विधिदृष्टो य इज्यते । यष्टय मेवेति मनः समाधाय स सात्विकः ।।११।। अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् । इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ।।१२।। विधिहीनमसृष्टान्नं मंत्रहीनमदक्षिणम ।। श्रद्धाविरहित यज्ञं तामसं परिचक्षते ||१३|| શાંત મને વિધિનિર્યો, ફળેચ્છા ત્યાગીરો વડે; યજાય એમ કર્તવ્ય, તે જ છે યજ્ઞ સાત્ત્વિક. ૧૧ ફળને લક્ષમાં રાખી, ને દંભાર્થે યજાય છે; ભમ્નશ્રેષ્ઠ ! તે યજ્ઞ, રાજસી જાણ નિશ્ચયે. ૧ ૨