SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય સત્તરમો ૫૪૭ પરંતુ બ્રહ્મલક્ષ્ય તરફ પ્રેરતો ધ્વનિ, એ પણ આગળ જતાં ખુલ્લું કરે છે. अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपोजनाः । दभमाहङ्कार संयुक्ताः कामरागबलान्विताः ॥५॥ कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः । मां चैवान्तशरीरस्थं तान् विद्धयासुरनिश्चयान् ।।६।। યુકત દંભે અહંકારે, કામ રાગ બલે તથા: શાસ્ત્રવિધિ વિના ઘોર, તપે છે તપ જે જનો. પ તેઓ દેહસ્થ ભૂતોને, હૃદયસ્થ મને વળી; ત્રાસ દેતા જડો એવા, જાણ આસુર નિશ્ચયી. ૬ શાસ્ત્રવિધિ વિના જે જનો ઘોર તપ તપ છે, તે અવિવેકી, મૂઓ દંભ અને અહંકાર સાથે જોડાયેલા, કામરાગના બળથી યુકત થઈ શરીરમાં રહેલા ભૂતસમૂહને તથા હૃદયમાં રહેલા મને (આત્માને ત્રાસ દેતા વિહરે છે તેમને હિ કૌતેય !) તું આસુરી નિશ્ચયવાળા જાણ. નોંઘ : "ડોળ અને અહંકાર સાથે જોડાયેલા અને કામરાગના બલથી પ્રેરિત થઈ જે તપ કરે છે તે ગમે તેવું ઘોર તપ કરે તોય તેમાં શરીરની અને આત્માની ખુવારી સિવાય બીજું કશું નથી. એ તપની પછવાડે જે નિય બળ દેખાય છે, તે દૈવી નથી; પણ આસુરી છે." આમ કહીને શ્રીકૃષ્ણગુરુએ શાસ્ત્રવિધિ માનનારમાં સત્યાર્થીપણાની અને નમ્રતાની આશા રાખી છે. આને ઊલટી રીતે ગોઠવીએ તો એમ પણ ફલિત થાય કે જે હૃદયથી નમ્ર અને સત્યાર્થી છે, ત્યાં શાસ્ત્રવિધિનો ઉપલક દેખાવ ન હોય તોય તેની ક્રિયા શાસ્ત્રવિહિત જ મનાવી જોઈએ. આગળ ઉપર લખવથી આ વાત ગીતામાં કહેવાશે જ. અહીં એ ચેતવણી અપાઈ છે કે કેટલીક વાર કામરાગના બલથી મનુષ્ય ઘોર તપ આચરે છે, પરંતુ તે તપ આસુરી તપ છે. એથી આત્માની તો હાનિ થાય જ છે, આ પરથી ગુરુદેવને શરીર ઉપર પણ ધમસાધન તરીકેનો પહાપાત છે, ખરો આદર્શ તપસ્વી, શરીર બળ લે થાવે, પરંતુ તેનું શરીર અને આત્મા બને તેજસ્વી રીતે તંદુરરથાક જ છે, એ વ ા સૂત્રો વારંવાર ઉચ્ચારે છે અને સકામ (અંતર કાપૂર્વક એટલે પ માટે વારંવાર ભલામણ કરી વાસનામય તપનો પરિહાર કરવા સૂચવે છે.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy