________________
અઘ્યાય સોળમો
કાર્યસિદ્ધિ કે સુખ પણ પામી શકતો નથી, તો પરંપદ તો કેમ જ પામી શકે ? તે તું ઉપર જ જોઈ ગયો.
૫૪૧
ભારતકુળના ઋષભ ! હું તને તારે માટે યુદ્ધ એ ધર્મ અને અનિવાર્ય છે, તે પણ અઘ્યાત્મશાસ્ત્રના આધારે જ કહી રહ્યો છું. બધી નીતિ, અનીતિ અને વર્ણાશ્રમનાં કર્તવ્યઅકર્તવ્યોનો ઉકેલ અઘ્યાત્મશાસ્ત્રમાંથી જ મળી રહે છે. એટલે
અઘ્યાત્મશાસ્ત્ર-દષ્ટિએ મારા અભિપ્રાયને કસીને પણ સ્થિર દષ્ટિ રાખીને તપાસીશ, તો મારો ભકિતલક્ષી જ્ઞાનભૂષિત કર્મયોગ તને અવશ્ય વિશેષ ઘટિત લાગશે જ.
શિષ્યધનુર્ધર ! મારી એ જ પ્રેરણા છે કે આ રીતે સદ્ગુરુરૂપ મને નિરંતર સામે રાખીને તારે શાસ્ત્રથી ગળાયેલાં કર્મો કરવાં જ ઘટે છે.”