________________
૫૩૬
ગીતા દર્શન
'તત્ સત્” એ પ્રમાણે શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં દૈવાસુરસંપદ્વિભાગયોગ નામનો સોળમો અધ્યાય પૂરો થયો.
સોળમા અધ્યાયનો ઉપસંહાર જેનાથી અભ્યદય અને મોક્ષની પ્રાપ્તિ થાય તે ઘર્મ, એવી વેદાંતદર્શનની વ્યાખ્યા છે. અર્થ, કામ અને મોક્ષ – ત્રણે જે દ્વારા સધાય તે નગદ ધર્મ, એવો ગુરુ વ્યાસજીનો મહાભારતમાં પણ સિદ્ધાંત છે. જૈનસૂત્રોમાં વસ્તુ સ્વભાવના જ્ઞાન'ને ધર્મપ્રાપ્તિની નિશાની કહી છે, અને અંત:કરણની શુદ્ધિ વિના એ ધર્મ ટતો નથી એમ પણ કહેવાયું છે. ગીતા અને જૈનસૂત્રો બન્ને અભુત રીતે મળતો અવાજ જ કાઢે છે. ગીતામાં રમવોડપ્યાત્મમુખ્યતે” એ આઠમા અધ્યાયમાં આપણે જોયું. ક્ષેત્ર-ક્ષેત્રીનું જ્ઞાન તે જ ખરું જ્ઞાન એમ આપણે તેરમા અધ્યાયમાં જોઈ ગયા. એ જ્ઞાન તે જ ગીતાનો સ્વભાવ. સ્વભાને જ આભારી સમગ્ર વિશ્વતંત્ર છે, તેમ આપણે પાંચમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં જોઈ ગયા છીએ. વિશ્વતંત્રની ચાવી પિંડમાં છે. “યથા gિuડે તથા બ્રહ્માસ્કે’ એ વાતમાં પણ જૈન સૂત્રોની પૂરેપૂરી સચોટ સાખ છે. આ રીતે અહીં ધર્મ અને અધર્મની બાબત જ શ્રીકૃષ્ણગુરુએ છેડી છે. આ માંહેલા ધર્મને આત્માના કાયમી વિકાસ સાથે પૂરો સંબંધ છે. અને આ માંહેલા અધર્મને આત્માના કાયમી પતન સાથે નિસ્બત છે. આ ધર્મનો સંબંધ અલબત્ત જગતનાં જીવ-અજીવ બે પૈકીનાં માત્ર આત્મતત્ત્વ સાથે જ છે, છતાં ય તે સાર્થક છે. જીવતત્ત્વની ઓળખાણ પછી અજીવતત્ત્વની ઓળખાણ આપોઆપ જ થઈ જાય છે-જેમ દહીંમાંથી માખણ કાઢી લેવાની ક્રિયા કરતાં કરતાં છાશ આપોઆપ છૂટી પડી જ જાય છે તેમ. પણ છાશ વલોવનારનું ધ્યેય તો માખણ તરફ જ હોય છે, એ વાત યાદ રાખવા જેવી છે. આથી જ આમાં આવતાં દૈવી સંપત્તિનાં લક્ષણો અને ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગમાં આવેલાં જ્ઞાનના લક્ષણો મુખ્યત્વે મળતાં જ આવે છે. આટલું સમજ્યા પછી પણ એક વાત આ અધ્યાય વિષે ખાસ સમજવાની રહે છે. તે એ કે ચૌદમામાં આવેલા ત્રણે ગુણોમાં