SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય સોળમો ૫૩૩ કૌતેય ! આ તમોદ્વાર ત્રણેથી મુકત થૈ નર; આચરે આત્મકલ્યાણ તેથી પામે પરંગતિ. ૨૨ (હે ઊજળા અર્જુન ! ઉપરના કથનથી તું સમજી જ શકયો હોઈશ કે ત્રણ પ્રકારનું આ નરકનું બારણું છે અને આ (ત્રિવિધ નરકાર) આત્માનો નાશ કરનારું છે. તેથી કામ, ક્રોધ અને લોભ એ ત્રણેનો ત્યાગ કરવો ઘટે ! હે કૌતેય ! આ ત્રણે અંધકારનાં બારણાંથી જે છૂટેલો છે, તે મનુષ્ય આત્મશ્રેય આચરે છે અને તેથી પરમ ગતિને પામે છે. (એવાની અધોગતિ કદી જ થતી નથી.) નોંધ : શ્રીકૃષ્ણગુરુએ ત્રીજા અધ્યાયમાં કામ અને ક્રોધને મહારી બતાવ્યા હતા. અહીં એ બેમાં લોભનો ઉમેરો કર્યો છે. અને તે ઉમેરો અહીં યથાર્થ જ છે. જૈનસૂત્રો કહે છે કે ક્રોધ, માન, માયા અને લોભ ચારે આત્મઘાતક છે, પરંતુ એ સર્વનું મૂળ મોહ છે. સંપૂર્ણ મોહ ત્યારે જ નષ્ટ થાય છે કે જ્યારે લોભનો સંપૂર્ણ છેદ ઊડે છે! મતલબ કે લોભનું મૂળ સંસારરૂપી વૃક્ષમાં સહુથી ઊંડું છે. આટલું સમજનાર આસુરી લોકોથી નહિ ખિન્ન થાય, તેમ નહિ એમનાથી લેપાય; પરંતુ કામ, ક્રોધ અને લોભથી દૂર રહી તે લોકોનાં હૃદય પર અસર ઉપજાવી સન્માર્ગે દોરનારાં નિમિત્તો ઊભાં કરશે. નાસ્તિક સદાય નાસ્તિક જ રહે, એવું કથન શાસ્ત્રોમાં છે. પરંતુ તે આસ્તિક વર્ગને ચેતતા રાખવા સારુ છે. નાસ્તિક પણ જો આસ્તિક બને તો એને સારુ પણ મોક્ષનાં દ્વાર તો ઊઘાડાં જ છે. પરંતુ પાયારૂપે સત્ય તરફનો પ્રેમ ઊઘડવો જોઈએ, અથવા તો સત્પુરુષો તથા સતુશાસ્ત્રો પ્રત્યે રુચિ પ્રગટવી જોઈએ. આવી રુચિ ધરાવનારને હિંસા તો ગમે જ શી રીતે? માટે હવે શ્રીકૃષણગુરુ કહે છે: यः शास्त्रविधिमुत्सृज्य वर्लते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ।।२३।। શાસ્ત્રવિધિ તજીને જે, વર્તે માત્ર સ્વચ્છેદથી; તે મેળવે નહીં સિદ્ધિ, ન સુખ, ન પરંગતિ. ૨ ૩ (પ્રિય કુરુશ્રેષ્ઠ ! જે શાસ્ત્ર કામ, ક્રોધ અને લોભથી છોડવવામાં પ્રેરક નિમિત્ત નીવડે એ જ સાચું શાસ્ત્ર. આવા શાસ્ત્રનું મૂલ્ય હું મહાન આંકું છું. કારણ કે સાધકને જ્યાં સગરનો યોગ અશકય હોય છે, ત્યાં શ્રદ્ધા અને નમ્રતાથી સવલું
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy