SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય સોળમો આપબડાઈને પોષ્યા કરે છે. आत्मसम्माविता स्तब्धा धनमानमदान्विताः । यजन्ते नामयज्ञैस्ते दम्मेनाविधिपूर्वकम् ||२७|| ધમંડી આત્મશ્લાઘી ને ધન-માન-મદે ભર્યા; શાસ્ત્રવિધિ વિના દંભે નામના યજ્ઞથી યજે. ૧૭ (પરંતપ !) તેઓ પોતાની આત્મશ્લાઘા કરનારા હોય છે. (એટલે કે પોતે પોતાને મોટા માનનાર હોય છે, તેથી આંબાની જેમ નમ્રતા તેઓમાં આવતી જ નથી.) અક્કડ હોય છે અને ધન તથા (એમને મળતા) માનમાં મદમસ્ત બનીને નામના યજ્ઞોદ્વારા ડોળથી અવિધિપૂર્વક યજે છે. ૫૩૧ નોંધ : અહીં યજ્ઞના ઉલ્લેખમાત્રથી તેઓની ધર્મક્રિયામાત્રનો સાર આવી જાય છે. મતલબ કે તેઓને આત્માની કે પરલોકની કશી પડી નથી, માત્ર અર્થ અને લોકોની વાહવાહ, મોભો કે સત્તા સારુ એ ચારે કોર જેમ વલખાં મારે છે, તેમ ધર્મસંપ્રદાયોમાં પણ પોતાનો દરજ્જો ઊંચો રાખવા ખાતર થોડા પૈસા વેરી નાખે છે. બાકી દિલથી એને ધર્મક્રિયાની લાગણી હોતી નથી. જ્યાં દિલની લાગણી છે, ત્યાં જ શાસ્ત્રવિધિ આવે છે. અહીં શાસ્ત્રવિધિનો અર્થમાત્ર પુસ્તકપાઠવિધિ કોઈ ન સમજે, પણ યજમાન પાસે જે મનઃશુદ્ધિ અને નમ્રપણાની યોગ્યતા અપેક્ષાય છે તે અર્થ છે. ||૧૮}} । अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभानासुरीष्बेव योनिषु * आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि । मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ||२०|| બળ-દર્પ-અહંકાર, કામ ને ક્રોધમાં મચ્યા; ||૧|| હું છું સ્વપર દેહે ત્યાં, ઈર્ષ્યાળુ દ્વેષ રાખતા. ૧૮ તે દ્વેષ રાખતા ક્રૂર, ને અશુભ* નરાધમ; એમને નામું સંસારે, સદા આસુરી યોનિમાં. ૧૯ ગોંડલની પ્રતમા અશુભ એ યોનિનું વિશેષણ છે. 1
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy