________________
અધ્યાય સોળમો
૫૨૯
યોજી(grat.)* आढयोऽभिजनवानस्मि कोन्योऽस्ति सदृश मया । यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ||१५|| આશાજાળ ફસાયેલા, કામ ક્રોધે પરાયણ; કામભોગાર્થ ઈચ્છે છે, અન્યાયે અર્થસંચય. ૧૨ "મેં આજે પ્રાપ્ત આ કીધું, આ મનોરથ પામીશ; આટલું છે અને મારું, આય ધન થશે વળી. ૧૩ મેં જ આ શત્રુને માર્યો, ને બીજાનેય મારીશ; ઈશ્વર હું જ હું ભોગી, સિદ્ધ હું બળિયો સુખી ૧૪ ધનાઢય હું કુલીને હું, હું સમો કોણ છે બીજો ? યજું, આપું છું, માગું , એમ અજ્ઞાનમોહિત ૧૫
(અને એવા દુષ્ટ નિશ્ચયને લીધે) સેંકડો આશારૂપી જાળથી બંધાયેલા અને કામ તથા ક્રોધમાં પરાયણ થયેલા (જેઓ આશાના ગુલામ બને તેમને કામ અને ક્રોધ ઘડીભર પણ કેમ છોડે ? એથી) તેઓ કામભોગને અર્થે અન્યાયદ્વારા પણ અર્થસંચયને ઈચ્છે છે. (જેને સત્યની પરવા ન હોય, જેને પાપનો ડર ન હોય, તે જે કંઈ મેળવે તેમાં જાય તો કયાંથી જ જોઈ શકે ? એને તો માત્ર કામની તીવ્ર અભિલાષા જ હોય, કેવી અત્યંત અધમાધમ દશા !
"આજે મેં આ મેળવ્યું, (હવે, આ ઈચ્છેલું (કાલે) મેળવી લઈશ. આટલું ધન મારી પાસે છે. અને વળી આટલું બીજું) પણ આટલું ધન થશે. (એટલે કે બીજું ધન પણ મને મળશે)
"આ શત્રુને મેં માર્યો, બીજાને પણ મારીશ. (ઈશ્વર બીજો કોઈ નહિ) હું જ ઈશ્વર છું. હું ભાગી છું. (અથવા હુંયોગી છું.) હું સિદ્ધ છું (નિષ્ણાત છું, હું બળવાન છું. હું સુખી છું. હું ધનાઢય છું. હું કુલીન (ખાનદાન) છું. મારા સમો બીજો કોણ છે ? યજીશ તોય હું આપીશ તોય હું. મજા માણીશ તોય હું.” આ પ્રકારના અજ્ઞાનમાં (તઓ) મૂઢ થઈ જાય છે.
નોંધ : આવા મૂઢ લોકોની અપરિમિતિ ચિંતામય પ્રવૃત્તિની રૂપરેખા જોઈ ગયા. એ પરથી સહેજે જણાશે કે અર્થ એ જ એનો મહાપ્રભુ થઈ પડે છે. આથી * ગોંડલ મત પાઠાં. t"યોગી હું,' એવું ગોંડલ પ્રતિમાં પાઠાંતર છે