________________
૫૨૮
ગીતા દર્શન
શ્રીકૃષ્ણગરએ અહીં માનસશાસ્ત્રની ઉડી અને વ્યાપક ચર્ચા ઉપાડી છે. કામનો અર્થ અહીં માત્ર જનનેંદ્રિય સંબંધી વિકાર ન લેતાં વ્યાપક રીતે કામના લઈએ તો તે વધુ બંધબેસતો થશે. માન અને મદ બન્ને જુદાં લીધાં છે તે યોગ્ય જ છે. દરેક વિચાર, વચન અને વર્તનમાં આંધળાપણું, ઉદ્ધતપણું જ આવે છે, તેને મદ કહી શકાય; અને કોઈ વખાણ કરે અથવા પોતે માની લે કે મેં ઠીક કર્યું, જય મેળવ્યો કે સંપત્તિસાધન મેળવ્યાં ત્યારે જે અહંકાર-ભાવનો જવાબ આવે, તેનું નામ અભિમાન છે. આવી દશાવાળાને સત્યાગ્રહને સ્થાને દુરાગ્રહ અને પવિત્ર વ્રતોને સ્થાને મલિન વ્રતો જન્મ; અને એ રીતે એમની પ્રવૃત્તિ પોતાને અને પરને ઘાતક નીવડે, એ સમજી શકાય તેવું છે.
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः । कामोपभोगपरमा* एतावदिति निश्चिताः ।।११।। અમિત મૃત્યુ પર્યત, ચિંતામહીં ડૂબેલ એ,
કામોપભોગમાં રાચ્યા, સૌ એમાં એમ નિશ્ચયી. ૧૧ (અને ધનંજય ! બિચારાની કરણ કથા તો જો.)
અપરિમેય (પાર ન પમાય કે માપ ન કાઢી શકાય એવી) અને ઠેઠ મૃત્યુ લગી(ચાલતી એવી)ચિંતામાં (ગળા સુધી) ડુબી ગયેલા અને કામોપભોગમાં દટાયેલા (તે આસુરી લોકો) ભોગ જ સર્વસ્વ છે' એવું નિશ્ચયપૂર્વક માનનારા (બની જાય છે.)
નોંધ : જે કામોપભોગને પરમ કલ્પ છે, તેઓ તેના લક્ષ્યમાં મૃત્યુ લગી ન ખૂટે તેવી અપાર ચિંતાથી ગ્રસ્ત રહે તેમાં કશી નવાઈ નથી. તે વિષે આગળ વધતાં શ્રીકૃષ્ણચંદ્ર કહે છે:
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः । ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसंचयान् ||१२|| इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीझ्दमपि मे भविष्यति पुनर्धनम् ||१३|| असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहम भोगी सिद्धोऽहं बलवान सुखी ||१४|| • આટલું કાર્ય જ એટલે ભોગ જો સર્વસ્વ છે, એમ નિશ્રયે માનનાર.