________________
પર
ગીતા દર્શન
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् । अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ||८|| एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः । प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥९|| તેઓ કે' છે કે જગત્ જૂઠું, પાયાહીન અનીશ્વર?;" એકબીજા (નર માદા) થકી જમ્મુ, ભોગ ખાતર શું બીજું? (અથવા) આપમેળે જ જન્મેલું હેતવિહીન ફોગટ. ૮ આ દૃષ્ટિ રાખી નહાત્મા,* નાણાર્થે જગશત્રુઓ; ઘોર કર્મો તણા કર્તા, જન્મે છે અલ્પબુદ્ધિઓ. (આસ્તિક પરંતપ !) તેઓ કહે છે જગત જૂઠું છે, પાયાવિનાનું છે, (આત્મા કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ જ નથી) અનીશ્વર જ છે. (ત્યારે એમને કોઈ પૂછે કે આ શાથી જન્મે છે? તો કાં તો કહી દે કે આપ મેળે જન્મેલું છે અને કાં તો કહી દે છે કે તે નર અને માદાથી જન્મે છે. (ત્યારે કોઈ એમને પૂછે, પણ શાને સારુ એ જગ્યું? ત્યારે એ ઉશ્રુંખલા લોકોને બોલે કશો બંધ કે વજન હોતું જ નથી. એટલે તે ચટદઈને ક્વી દે છે કે હેતુ વગર ફોગટ જ થઈ ગયું છે, અને કાં તો કહી દે છે કે, ભોગ ભોગવવા ખાતર સંભવેલું છે, બાકી બીજું શું પ્રયોજન હોય?
ક્વિા જડ લોકો !)
આવી દુષ્ટિ-અભિપ્રાય-ધરાવીને તેઓ પોતાનો આત્મનાશ કરીને) નખત્મા (બનેલા) અને અલ્પબુદ્ધિવાળા તેઓ (બીજાના અને ખરી રીતે તો પોતાના) ક્ષયને માટે વિશ્વશત્રુ બનીને ઘોર કર્મો કરવા માટે જન્મે છે.
નોંધઃ વૈશેષિકના પરમાણુવાદના ઐકાંતિક વલણનો આમાં પરિહાર છે, અને ચાર્વાકમતની ઝાટકણી કાઢવામાં આવેલી છે. જૈનસૂત્ર ઉત્તરાધ્યયન'ના ૧૩મા અધ્યયનમાં ૧૮ને ૧૯મી ગાથામાં પણ આવો જ ઉલ્લેખ અને જવાબ છે.
માણસ જેવી દ્રષ્ટિ રાખે છે તેવો બને છે. એટલે જીવનમાં પુણ્ય છે, પાપ છે, પરલોક છે, આત્મા છે, કર્મ છે, કર્મનાં ફળ છે, એવી દષ્ટિ રાખવી જ જોઈએ તે સારુ દરેક ધર્મે, જાતે, અને પંથે શ્રદ્ધાનો મહિમા ગાયો છે. એ આપણે જોઈ ગયા છીએ. કદાચ પ્રત્યક્ષ સ્થૂળ આંખે ન દેખાય કે બુદ્ધિથી ન સમજાય તોય તે આત્મા “જગતમાં આત્મા અથવા ઈશ્વર જેવું બ્રેઈતત્વ છે એમ નહિ માનવું તે. ‘ભાવશૂન્ય.