________________
અધ્યાય સોળમો
કાઢી નાખે છે અને એમને આસુરી કોટિમાં બેસાડી દે છે. આ આપણે નીચેની પંક્તિઓ પરથી તારવી શકીશું.
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः । न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ||७||
પ્રવૃત્તિ કયાં ? નિવૃત્તિ કયાં ? ન જાણે આસુરી જનો; ન શૌચ કે ન આચાર. ન હોય સત્ય તે મહીં. ૭
૫૨૫
(અર્જુન ! આ જગતમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવી જીવનમાં બે મુખ્ય વૃત્તિઓ છે. પણ એ જ્યાં શોભતી હોય ત્યાં શોભે ! કેટલીક વસ્તુઓ એક ઠેકાણે શોભે, બીજે ન શોભે. દા.ત., પાઘડી પગમાં ન શોભે, માથે જ શોભે. એમ બીજાને સુખી કરવામાં પ્રવૃત્તિ શોભે, સ્વાર્થમાં પ્રવૃત્તિ ન શોભે. પરંતુ આવા આસુરી લોકો તો જ્યાં પ્રવૃત્તિ ઘટે ત્યાં નિવૃત્તિ સેવતા હોય છે અને નિવૃત્તિ ઘટે ત્યાં પ્રવૃત્તિ સેવતા હોય છે. તેઓ શાસ્ત્ર ભણ્યા હોય તો વળી અર્થને બદલે અનર્થ કરે છે.
પોતે તો પતનને માર્ગે ાય છે પણ એને અનુસરનારાને પણ એ માર્ગે લઈ જાય છે. અગાઉ મેં મુખ્ય ાં છ દોષ એમના ગણાવ્યા જ છે, પરંતુ અહીં એ દોષોને લીધે એમના આચાર કેવા ખોટા હોય છે તે હું કહું છું.) પ્રવૃત્તિ અને નિવૃત્તિને તેઓ ઓળખતા નથી (એટલે કે પ્રવૃત્તિ નિવૃત્તિનું તેમને યથાર્થ જ્ઞાન હોતું નથી.) વળી તેમને નથી હોતું સત્યનું ભાન, નથી હોતો આચાર કે નથી હોતું શૌચ.
નોંધ : આંતરિક અને બાહ્ય પવિત્રતાના અર્થમાં અહીં શૌચ અને આચાર બે શબ્દ આવ્યા છે. પવિત્ર રોજી રળવી, અને સદાચારી જીવન ગાળવું. મતલબ કે જરથુષ્ટ મહાત્મા કહે છે તેમ વિચાર, વાણી અને વર્તનમાં પવિત્રતા સૌ પહેલી જોઈએ. તે તો તેઓમાં હોતી જ નથી. સત્યમાં તે માનતા જ નથી. સવગડ એ જ એને મન પરમ સત્ય. ગમે તેવા જૂઠા પ્રપંચ અને મેલા કાવાદાવા કરવા પડે, તે તેમને ન સાલે - તેવું એમનું હૈયું જડ બની ગયું હોય છે
અહીં અર્જુનને બે શંકા થઈ છે કે તેઓ એના સમાધાનમાં કૃષ્ણગુરુ કહે છે કે તેમની પાયામ
આ પ્રમાણે :
હા, આશ કેમ હશે ?
સ્કૂલો
છે, અને તે