SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય સાતમો ૩૨૭ (૧) આ સિવાયના જે લોકો પ્રથમથી જ થોડે અંશે પાપભીરુ હોય છે તે સદાચાપ્રેમી પણ હોય છે. તેઓ પણ દુસ્તર માયામાં ઘણીવાર ગળકાં ખાવા માંડે છે. પણ કોઈ આઘાતજનક નિમિત્ત બને અથવા વિપદા આવી પડે કે તુરત પાછા વળી, આત્માને સંભારી, એ પંથે પગલાં પાડવા માંડે છે. મતલબ બે દુ:ખને નિમિત્તે એની મૂર્છા ઊડી જાય છે. આ પહેલા પ્રકારના ભકતની વાત થઈ. (૨) બીજા પ્રકારમાં જિજ્ઞાસુનો સમાવેશ થાય છે. એટલે કે જેઓ વિદ્યાપ્રેમી હોય છે તથા સત્સંગ અને સદ્વાચન દ્વારા જ્ઞાનની પિપાસા ધરાવતાં છતાં યત્નમંદ હોય છે. આ પ્રકાર, પહેલા પ્રકાર કરતાં ઉચ્ચ કોટિનો છે. (૩) ત્રીજા પ્રકારમાં અર્થાર્થીનો સમાવેશ થાય છે. અહીં અર્થનો રહસ્યાર્થ ધર્મવિહિત અર્થ લેવો, એટલે કે આ વર્ગ કોઈ પણ હેતુને મોખરે રાખી ભકિત કરનાર છે. અતુકી ભકિત કરનાર કરતાં આ વર્ગ ઊતરતા દરજ્જાનો છે, છતાં જિજ્ઞાસુ કરતાં ઉપલે દરજ્જ હોવાનું કારણ એ છે કે આ વર્ગનો પુરુષાર્થ પ્રબળ હોય છે. છતાં જ્ઞાની કરતાં એ નીચેના દરજ્જાનો છે. કારણ એટલું કે જ્ઞાની હોય તે કશી કળેચ્છા રાખતો જ નથી. એથી તે કદી કોઈ સંયોગોમાં નિરાશ થતો નથી તેમ અભિમાન પણ એને પજવતું નથી. જ્યારે નીચલી ત્રણે કોટિમાં તરતમ માત્રામાં નિરાશા અને અભિમાનનો સંભવ છે. (૪) હવે આપણે સમજી ગયા કે સૌથી શ્રેષ્ઠ ચોથો પ્રકાર તે જ્ઞાનીનો છે. જુઓ; ગીતાકાર શ્રીકૃષ્ણમુખે જ જ્ઞાનીને પોતે શાથી વખાણે છે તેનાં કારણો આપે છે: तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रिया हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥ १७ ॥ उदाराः सर्वएवैते ज्ञानी त्वात्मैव मे मतम् । રતઃ a fe યુનત્મા મામેવાનુત્તમાં તિમ્ | ૧૮ ! बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते मामा पपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ १९ ।। તેમાં જ્ઞાની સદા યુકત અનન્ય ભકત શ્રેષ્ઠ છે; મને તે ખૂબ ચાહે છે, પ્રિય મારોય તે ઘણો.૧૭
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy