SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ગીતા દર્શન વિષે શ્રીકૃષ્ણગુરુ પોતે જ ખુલાસો આપે છે. ' || ૧૧ || न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययाऽपह्यतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन । आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्ष ।। ૧૬ ।। ગુમાવી શાન માયાથી, આસુરી ભાવ પામિયા; તે મારે શરણે ના'વે, મૂઢ પાપી નરાધમો. ૧૫ ભજે પાર્થ ! મને લોકો, સત્કર્મી ચાર જાતના; દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની ભરતર્ગભ ! ૧૬ (ઊજળા હૃદયવાળા) અર્જુન ! જે મનુષ્યોનું જ્ઞાન માયાવડે હરાઈ ગયું હોય છે તે આસુરી ભાવને શરણે ગયા હોય છે. (બોલ, એક મ્યાનમાં બે તલવાર રહે ખરી !) તેવા દુરાચારી, મોહમૂઢ અને નરાધમો (નીચ) મારું શરણ સ્વીકારી શકતા નથી. (કારણ કે તેમ કરવા જતાં તેની અંદર રહેલો શેતાન આડો આવે છે, કુટેવોથી ટેવાયેલાં બુદ્ધિ, મન, પ્રાણ, ઈન્દ્રિયો પણ એને ઉપર જતાં અટકાવે છે.) પરંતુ હે (આર્ય) અર્જુન ! ચાર જાતના સદાચારી લોકો મને ભજે છે. હે ભરતર્ષભ ! (ભારતકુળના ઉત્તમ પુરુષ) એ લોકો છે (૧) દુઃખી (૨) જિજ્ઞાસુ (૩) અથાર્થી અને (૪) જ્ઞાની. નોંધ : શ્રીકૃષ્ણગુરુએ પંદરમા શ્લોકમાં એમ પણ સમજાવ્યું કે જે અજબ માયામાં ફસાઈ જાય છે તે ખરું જ્ઞાન ગુમાવી બેસે છે. જ્ઞાન ખોવાયું છે એનું પ્રમાણ એ કે એવા લોકો જંગાલિયતના વશીકરણમાં મુગ્ધ બની જાય છે તથા દુરાચારના અખાડા અને હલકટપણું એમને કોઠે પડી જાય છે. નીતિ, સદાચાર, કરુણા, પ્રેમ, ક્ષમા, સજ્જનતા ઈ. સદ્ગુણો એમનાથી સો ગાઉ છેટા રહે છે. જો ; આવા લોકો હૈયાના નબળા, ડરપોક અને વ્યાકુળ હોય છે, પણ કૃત્રિમ દાબ વડે તેઓ લાલચુ કે પામોના "દાદા" બની જાય છે. આવા લોકોમાં કોઈ અપવાદે એવા પણ હોય છે જે ઠીક નિશ્ચયબળ ધરાવતા હોય ! આવો અપવાદિત વર્ગ કોઈને કોઈ નિમિત્તે ચેતીને પોતાનો રાહ બદલે છે અને શકિતને સન્માર્ગે વાળી દે છે. તે વળે ત્યારે સૌથી આગળ નીકળી જાય છે.
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy