________________
૫૨૨
ગીતા દર્શન
અભય, સત્ત્વની શુદ્ધિ, જ્ઞાનયોગ, વ્યવસ્થિતિ, દાન, દમ તથા યશ, સ્વાધ્યાય, ઋજુતા, ત૫, ૧
અહિંસા, સત્ય, અક્રોઘ, ત્યાગ, શાંતિ, અપેશન, લજ્જા, અગૃદ્ધિ, ભૂતોમાં દયા, માર્દવ, સ્થિરતા, ૨ અમાન, તેજ, અદ્રોહ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા,
ભારત ! હોય છે દૈવી-સંપત્તિ પામનારમાં. ૩ (અહો, ભારતકુળના નિપુણ પુરુષ) ભારત ! દૈવી સંપત્તિને પામનારમાં નીચેના છવ્વીસ ગુણોહોય છે? (૧) અભય, (૨) સત્ત્વ સંશુદ્ધિ, (૩) જ્ઞાનયોગની વ્યવસ્થા, (૪) દાન, (૫) દમ, (૬) યજ્ઞ, (૭)સ્વાધ્યાય, (૮) તપ, (૯) ઋજુતા (સરળતા) (૧૦) અહિંસા, (૧૧) સત્ય, (૧૨) અક્રોધવૃત્તિ, (૧૩) ત્યાગ, (૧૪) શાંતિ, (૧૫) અર્પશુન, (૧૬) ભૂતદયા, (૧૭) અલોલુપીપણું, (૧૮) મૃદુતા, (૧૯) કુદરતી શરમ, (૨૦) અચપલપણું, (૨૧) તેજસ્વીપણું, (૨૨) ક્ષમા, (૨૩) ધૃતિ, (૨૪) પવિત્રતા, (૨૫) અદ્રોહ, અને (૨૬) નિરભિમાનીપણું.
નોંધ : જૈનગ્રંથોમાં માર્ગાનુસારીના પાંત્રીસ નિયમો આવે છે અને શ્રાવકના જે એકવીસ ગુણો આવે છે, તે આ છવીસ ગુણોમાં દેખાઈ રહે છે. ઉત્તરાધ્યયનસૂત્ર'માં તેજોલેશ્યાવાળા અને પદ્મવેશ્યાવાળા જીવનનાં જે લક્ષણો મુકાયાં છે, તે પણ આ ઉપરનાં લક્ષણોને મળતાં જ છે. તેરમા ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગમાં આવેલા જ્ઞાનરૂપ વીસ સદ્ગુણો બતાવ્યા છે, તે પણ આને મળતા જ છે. આમ બધી રીતે દૈવી સંપત્તિ એટલે મુમુક્ષુપણાની પૂર્ણ યોગ્યતા સિદ્ધ થાય છે.
આ ગુણોમાં અહિંસા અને ભૂતદયા બંને જુદાજુદા શબ્દો છે. ત્યાં અહિંસાનું નિષેધાત્મક અને વિધેયાત્મક બંને સ્વરૂપ આવી જાય છે એમ માનવું. એ જ રીતે અક્રોધ અને ક્ષમાનું. તેમ જ અચપલપણાનું અને સ્થિરતાનું પણ સમજવું.
જ્ઞાનયોગવ્યવસ્થિતિનો અર્થ, જ્ઞાનમાર્ગ અને કર્મયોગ બન્નેમાં વ્યવસ્થા એવો લો. તિલક કરે છે તે પણ ઠીક છે. *(૧) નૈતિક હિમ્મત (૨) હૃદયશુદ્ધિ, (૩) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે તે સમજી ગોઠવવાની વ્યવસ્થાશકિત, (૪) દાન, (૫) ઈન્દ્રિયદમન, (૬) પરમાર્થે સ્વાર્પણ, (૭) સર્વાચન, ૫ વગેરે, (૮) તપ (૯) સરળતા, (૧૦) અહિંસા, (૧૧) સત્ય, (૧૨) અક્રોધ, (૧૩) ત્યાગ, (૧૪) ચિત્તશાંતિ, (૧૫) કોઈની ચાડીચુગલી ન કરવાનો સ્વભાવ, સુદ્ર બુદ્ધિનો ત્યાગ, ઉદાર બુદ્ધિનું સેવન, (૧) ભૂતદ્યા, (૧૭)અલુબ્ધપણું, (૧૮) કોમળતા, (૧૯) સત્ય વિરુદ્ધ આચરણમાં શરમ, (૨૦) સ્થિરતા (૨૧) પાપી અગર નીચે પ્રકૃતિવાળા જે પ્રભાવ આગળ અંજાઈ જાય તેવો કુદરતી પ્રભાવ, (૨૨) ક્ષમા, (૨૩) વૈર્ય, (૨૪) પવિત્રતા, (૨૫) દ્રોહનો અભાવ, અને (૨) નિરાભિમાનીપણું.