SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અઘ્યાય સોળમો ઉપાદેયની ત્રિપુટી કહેવાય છે. તે વિષે અગાઉ સંક્ષેપે તો કહેવાયું છે જ. અહીં ત્રણ ગુણ માંહેલા સત્ત્વગુણના ધારકને આપણે દૈવી સંપત્તિમાન કહીએ તો કશું ખોટું નથી. પરંતુ સત્ત્વગુણીમાં આતિનો અંકુર હોઈને પડવાનો સંભવ છે, જ્યારે દૈવી સંપત્તિમાનનાં લક્ષણો એવાં છે કે જેથી એને પડવાનો બહુ સંભવ નથી. એ દૃષ્ટિએ છેવટે તો સત્ત્વગુણ પણ ત્યાજ્ય જ છે. પરંતુ પ્રથમ પ્રથમ ઉપાદેય છે અને રજોગુણ અને તમોગુણ તો ત્યાજ્ય છે જ. એટલે એ ગુણોનાં લક્ષણો અને કાર્યો કહ્યા પછી પણ આ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું વર્ણન બંધન અને મોક્ષના જાણકાર સારુ ભારે ઉપયોગી થશે જ. ૫૨૧ જૈનસૂત્રોમાં જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ વિકાસલક્ષી સાધકને સાતે તત્ત્વોની સમજ અપાઈ છે. જૈનસૂત્રો જેમ ભવ્યત્ત્વ પામેલાનો મોક્ષ નક્કી, અને અભવ્યત્વને અવલંબેલાનો બંધ નક્કી એમ ચોખ્ખુંચટ કહી દે છે, તેમ ગીતા પણ દૈવી સંપત્તિમાનને મોક્ષ નક્કી અને આસુરી સંપત્તિમાનનો બંધ નક્કી એમ સ્પષ્ટ કહી દે છે. એ રીતે આ અઘ્યાય પોતાની પોતે પરીક્ષા લેનારા સાધકો માટે ખૂબ મહત્ત્વનો છે. અર્જુન સારુ આ અઘ્યાય તેટલો જ મહત્ત્વનો હતો. એથી એ પોતે કઈ ભૂમિકા પર છે, એ જાણવા ઉત્સુક થઈ રહ્યો છે, તે જોયું; અને હવે શ્રીકૃષ્ણગુરુ એને કેવી સરસ વિગતપૂર્વક એ બધું સંભળાવી રહ્યા છે, તે જોઈએ. पोडशोऽध्यायः અધ્યાય સોળમો श्रीकृष्ण उवाच अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः 1 दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ||१|| अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत |!!! 11311
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy