________________
૫૨૦
ગીતા દર્શન
તો શ્રીકૃષ્ણ આસુરી પ્રકૃતિવાળા મૂઢ મનુષ્યની સદ્ગતિ થવામાં મોટામાં મોટું કારણ એ કહ્યું કે "તેઓ સંશયાત્મા” હોય છે, નાસ્તિક હોય છે, અને અનાસ્થા જેવી કોઈ ભયંકર વસ્તુ જગતમાં છે જ નહિ !
"માટે એવા લોકો મોક્ષાધિકારી બની શકતા નથી. મતલબ કે જ્યાં લગી અનાસ્થાનો દોષ હોય ત્યાં લગી તેઓ મોક્ષાધિકારીપણાની નિકટ જવા છતાં એ ચીજને પામી શતા જ નથી.” અને પછી આગળ વધતાં કહ્યું, "આસુરી ભાવથી એમની યોનિ પણ આસરી જ ગણાય છે. અને તેઓ તેમાં જ વારંવાર ગળકાં ખાધા કરે છે. હવે હું તને દૈવી સંપત્તિમાનનાં તથા આસુરી સંપત્તિમાનનાં લક્ષણો તથા તેમની પ્રવૃત્તિ કહું કે જેથી આ આખા સંસારમાંનાં પ્રાણીઓની એ બે પ્રકારની સૃષ્ટિનો તને ખરો ખ્યાલ આવી શકે. આસુરી સૃષ્ટિવાળા મનુષ્યો યજ્ઞ, દાન, તપ, આદિ કરે તોપણ અભિમાનનાં પૂતળાં હોઈને પોતાની કામના પોષવા સારુ જ કરે છે. એમને શાસ્ત્ર પ્રત્યે, સગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો છાંટો પણ નથી હોતો. એવા લોકો મને ન પામે.
હવે તો જાણે તને નવાઈ નહિ લાગે, છતાં વિસ્તારથી એ વાત તને કહું છું, તે સાંભળ.”
એમ કહીને શ્રીકૃષ્ણચંદ્ર આ અધ્યાયમાં પ્રવેશ કર્યો. તત્ત્વજ્ઞાન (આત્મજ્ઞાન અને વિશ્વવિજ્ઞાન) સાથે આચાર બહુ મહત્ત્વની વસ્તુ છે, એ સહુ કોઈ કબૂલ કરશે જ; એટલે આચાર સંબંધે સ્થિતપ્રજ્ઞ, ભકત અને ગુણાતીતનાં સચોટ વર્ણન સાંભળ્યા પછી ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞી વચ્ચેના અંતરનું જ્ઞાન અને જ્ઞાનનાં લક્ષણો વિચાર્યા પછી એ આદર્શ ભણી જવામાં અડચણ ન પડે તે દેખીતું છે. પરંતુ આદર્શ ભણી જનારે જેમ સારી બાજુ ખ્યાલમાં રાખવાની છે, તેમ નબળી બાજુનો ખ્યાલ રાખવો જરૂરી છે, કે જેથી નબળી બાજુથી દૂર થવાય. નબળી બાજુથી છૂટ્યા વગર જે સબળી બાજુનું તત્ત્વજ્ઞાન સાંભળી લે છે કે સબળ આચાર ભણી ચાલવા મથે છે, તે કાં તો મિથ્યાભિમાનમાં સબડે છે, અથવા તો આગળ જઈને ઊલટો પાછો પડી જાય છે. માટે અહીં નબળી બાજુવાળી પ્રવૃત્તિનો ચિતાર ખૂબ સચોટ આપ્યો છે.
જૈનસૂત્રોની પરિભાષામાં આસુરી સંપત્તિને ત્યાજ્ય અથવા હેય” ગણી
શકાય.
જોય એટલે આત્મા. ઉપાદેય તે ચારિત્ર. આ રીતે જૈનસૂત્રોમાં હય, જોય,